રાજસ્થાનમાં અશોક ગહલોત સરકાર પર સંકટના વાદળો છવાયાં છે. દેશમાં એકવાર ફરી કોંગ્રેસ શાસિત રાજ્ય પર ખતરો મંડરાય રહેલો જોવા મળી રહ્યો છે. રાજસ્થાનની કોંગ્રે સરકારમાં મધ્યપ્રદેશવાળી જોવા મળી રહી છે. સૂત્રોને મળતી જાણકારી મુજબ રાજ્યના 15 કોંગ્રેસ ધારાસભ્યો દિલ્હી હાઇકમાન્ડ પાસે પહોંચ્યાં છે. ત્યારે એવુ લાગી રહ્યું છે કે શું જ્યોતિરાદિત્ય સિંધિયાના પથ પર સચિન પાયલોટ પણ ચાલી રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે શનિવારના રોજ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોતે ભાજપના કેન્દ્રીય નેતૃત્વના નેતાઓએ તેમની સરકાર પાડી દેવાનો પ્રયત્ન કર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. જેમાં કોંગ્રેસના નેતાઓને રૂપિયાની લાલચ આપવામાં આવી રહી હોવાનો પણ દાવો કર્યો હતો.
જો કે ભાજપ તરફથી જણાવામાં આવ્યું હતું કે આ મામલો કોંગ્રેસને આંતરિક છે. ત્યારે શનિવારના રોજ રાજ્યમાં ઝડપથી રાજકીય ઘટનાક્રમમાં બદલાવ જોવા મળ્યો, જે મધ્ય પ્રદેશની જેવો જ ઘટનાક્રમ જોવા મળ્યો.
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોત અને ઉપમુખ્યમંત્રી સચિન પાયલોટ વચ્ચે આંતરિક વિગ્રહ ફરી ચરમસીમાએ પહોંચેલો જોવા મળ્યો છે. આ રાજ્યમાં ફરી ચર્ચાએ જોર પકડ્યું છે, કેમ કે સચિન પાયલોટ શુક્રવારથી દિલ્હી દરબારમાં છે.
જો કે સૂત્રોને મળતી જાણકારી મુજબ રાજસ્થાનના 15 ધારાસભ્યો હાલ દિલ્હી હાઇકમાન્ડ પાસે પહોંચ્યા છે. જો કે તે અગાઉ કુલ 24 ધારાસભ્યો હરિયાણાના માનેસરમાં રોકાયા હોવાની માહિતી પ્રાપ્ત થઇ હતી.
ત્યારે હવે રાજકીય વિશ્લેષકોના મતે રાજસ્થાનમાં ફરી મધ્યપ્રદેશવાળી સ્થિતિ જોવા મળી રહી છે. મધ્યપ્રદેશમાં જેવી રીતે જ્યોતિરાદિત્ય સિંધિયાના સમર્થક ધારાસભ્યો પહેલા હરિયાણાના ગુડગાંવમાં અને પછી કર્ણાટકના રિસોર્ટમાં રોકાયા હતા.