ગત મોડી રાતે રાજસ્થાનના જાલૌર જિલ્લાના મહેશપુરા ગામમાં શનિવારે રાતે એક મોટી દુર્ઘટના થઈ. અહીં યાત્રીઓથી ભરેલી એક બસ વીજતારની ઝપેટમાં આવી. બસમા કરંટ ફેલાતા સવાર યાત્રીઓમાંથી લગભગ 2 ડઝન યાત્રીઓ દાઝ્યા અને 6ના સ્થળ પર જ મોત થયા હતા તો અન્ય 19ને ગંભીર ઈજા હોવાથી હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
ઘટનાની જાણકારી મળતાં જ પોલીસ પ્રશાસન સ્થળ પર પહોંચ્યું અને ઘાયલોને જિલ્લા હોસ્પિટલ લઈ જવાયા હતા. અહીં અધિકારીઓએ 6 લોકોના મોત થયા હોવાનું જણાવ્યું હતું.
ડોક્ટરે આપી આ માહિતી
ઘટના વિશે જાલૌરના પ્રમુખ ચિકિત્સા અધિકારીએ કહ્યું કે 6 લોકોના મોતની સાથે 6 અતિ ગંભીર દર્દીઓને જોધપુર રીફર કરાયા છે. આ સિવાય અન્ય 13 ગંભીર લોકોની સારવાર ચાલી રહી છે. જે યાત્રી બસની સાથે આ ઘટના બની તેનો રજિસ્ટ્રેશન નંબર આરજે 51 પીએ 0375 છે. મળતી માહિતી અનુસાર બસ પણ આગમાં બળીને ભડથું થઈ ચૂકી હતી.
Rajasthan: Six died and seven injured as a bus caught fire after coming in contact with electric wire in Maheshpur of Jalore district, late last night (January 16).
"The injured have been referred to Jodhpur", said Additional District Collector, Jalore. pic.twitter.com/TCXNVpImqv
ઉલ્લેખનીય છે કે બસ રસ્તો ભટકીને ગામની વચ્ચે આવી ગઈ હતી. મહેશપુરાના નિવાસી ઘનશ્યામ સિંહે કહ્યું કે યાત્રીઓથી ભરેવી બસ માંડોલીથી બિયાવર માટે રવાના થઈ હતી. રાતે રસ્તો ભટકી ગઈ અને મહેશપુરા ગામમાં ઘૂસી હતી. ગામમાં 11 કેવીની લાઈનના વીજળીના તાર બસથી ટચ થયા અને આ કારણે બસમાં પણ આગ લાગી ગઈ હતી.
સ્થાનિકોએ કરી મોટી મદદ
બસને જ્યારે વીજળીનો કરેટ લાગ્યો કે તરત જ બસમાં કરંટ ફેલાયો અને બસમાં આગ પણ લાગી સ્થાનિકોએ તરત જ વીજળી વિભાગને સૂચના આપીને કનેક્શન કપાવ્યું અને સાથે બસમાંથી લોકોને સુરક્ષિત બહાર લાવવાનું પણ શરૂ કર્યું. ગામના લોકોએ પોલીસને સૂટના આપ્યા બાદ તેઓએ આવીને કાર્યવાહી શરૂ કરી. ફાયરબ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો હતો અને ઈજાગ્રસ્તોને બહાર કાઢ્યા હતા. ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં એડમિટ કરાયા છે.
जालोर के महेशपुरा गांव में बस के तार के चपेट में आने से आग लगने के कारण कई यात्रियों के हताहत होने का अत्यंत दु:खद समाचार प्राप्त हुआ। मैं दुर्घटना में घायल यात्रियों के जल्द ही स्वास्थ्य लाभ की कामना करते हुए मृतकों को अपनी विनम्र श्रद्धांजलि अर्पित करता हूँ। pic.twitter.com/AnTZTHLsqf
સ્થાનિક બીજેપી સાંસદ દેવજી પટેલે ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કર્યું છે. તેઓએ ટ્વિટમાં લખ્યું કે જાલોરના મહેશપુરા ગામમાં બસના તારની ઝપેટમાં આવવાથી બસને આગ લાગી અને અનેક યાત્રીઓના ઈજાગ્રસ્ત થવાના સમાચાર મળ્યા છે. મૃતકોને વિનમ્ર શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. અન્ય ટ્વિટમાં કહ્યું કે તેમના પરિવારોને પ્રતિ સંવેદનાઓ વ્યક્ત કરતા કહ્યું કે મારી સંવેદનાઓ મૃતકોના પરિવારજનોની સાથે છે. ભગવાન તેમને અપૂરતીય ક્ષતિને સહન કરવાની શક્તિ આપે. પોલીસ રાહત કાર્યમાં યાત્રીઓને સંભવ સહયોગ પ્રદાન કરે.