રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પાર્ટીઓમાં આરોપ અને પ્રત્યારોપનો સિલસિલો વધી રહ્યો છે. સચીન પાયલોટે અમિત શાહ પર પલટવાર કરતા કહ્યું કે રાજસ્થાન ના તો પાપની ધરતી છે કે ના તો રાવણની લંકા છે. કે જ્યાં અંગદ આવીને પોતાનો પગ પેસારો કરે.
પાયલોટે વધુમાં જણાવેલ કે રાજસ્થાન વીરોની ભૂમિ છે. રાજસ્થાન ઋષિ-મુનિઓની પવિત્ર ધરતી છે. ઉલ્લેખનીય છે કે અમિત શાહે નિવેદન આપ્યુ હતું કે રાજસ્થાનમાં ભાજપે અંગદના પગની જેમ જમાવટ કરી છે.
ત્યારે સચિન પાયલોટે એક સભા સંબોધતા કહ્યું કે 2018ના કેગની રિપોર્ટને સંસદમાં રજૂ કરવા દેવામાં આવતો નથી કારણકે તેમાં પાક વીમાને લઈને મોટા કૌભાંડનો ઉલ્લેખ છે. માત્ર 2 જિલ્લામાં એક કરોડ આઠ લાખનું કૌભાંડ થયું છે. જો તમામ 33 જિલ્લાનો નિકાલ કરવામાં આવે તો સત્ય સામે આવશે.
ઉલ્લેખનીય છે કે રાજસ્થાનમાં ચાલુ વર્ષે થનારી વિધાનસભાની ચૂંટણીને લઇને તમામ પક્ષો દ્વારા તૈયારીઓ પૂરજોશથી કરવામાં આવી રહી છે. ભાજપે પણ ફરી સત્તામાં આવવા માટે કમર કસી છે ત્યારે કોંગ્રેસ પણ 5 વર્ષ પછી રાજ્યમાં ફરી શાસન કરવા માટે કસર બાકી નથી રાખી રહી.
આ વચ્ચે રાજસ્થાનના પ્રવાસ પર પહોંચેલા ભાજપ અધ્યક્ષ અમિત શાહે કોંગ્રેસને પર ફરી નિશાન સાધ્યું હતું જેના વળતા જવાબરૂપે પાયલોટે કહ્યું હતું કે રાજસ્થાન ના તો પાપની ધરતી છે કે ના તો રાવણની લંકા છે. કે જ્યાં અંગદ આવીને પોતાનો પગ પેસારો કરે.