રાજસ્થાન સરકારે 31 જાન્યુઆરી બાદ કોરોના વેક્સિન ન લેનાર લોકોની જાહેરમાં એન્ટ્રી પર પ્રતિબંધ મૂકતો નિયમ લાગુ પાડ્યો છે.
પંજાબ બાદ હવે રાજસ્થાન સરકારનો નિર્ણય
વેક્સિન ન લેનાર લોકો ઘરની બહાર નહીં નીકળી શકે
31 જાન્યુઆરી બાદ લાગુ પડશે નિયમ
દેશમાં કોરોના અને ઓમિક્રોનના વધી રહેલા કેસની વચ્ચે હવે વેક્સિન વગર ફરતા લોકોને ઠેકાણે લાવવા રાજ્યોએ કડક પ્રતિબંધ લાગુ કરી દીધા છે. પહેલા પંજાબ અને હરિયાણા બાદ હવે રાજસ્થાન સરકારે પણ વેક્સિન સંબંધિત એક કડક નિર્ણય લઈને બીજા રાજ્યો માટે પણ ઉદાહરણ પુરુ પાડ્યું છે. અશોક ગેહલોત કેબિનેટની મળેલી બેઠકમાં એવો નિર્ણય લેવાયો છે કે રાજ્યમાં જે લોકોએ કોરોના વેક્સિનના બન્ને ડોઝ લીધા નથી તેઓ 31 જાન્યુઆરી બાદ ઘરની બહાર નહીં નીકળી શકે. રાજ્યમાં વધી રહેલા ઓમિક્રોનના કેસની વચ્ચે રાજ્ય સરકારનો આ નિર્ણય ઘણો મહત્વનો છે. પંજાબ સરકારે પણ આવો જ નિયમ લાગુ પાડી રાખ્યો છે.
#Omicron: Rajasthan Cabinet decides to make COVID vaccination mandatory for entry into public places after Jan 31; to strictly enforce night curfew
Malls & other commercial establishments allowed to remain open till 10 pm every day pic.twitter.com/IJfIVX5HoX
કોરોનાને ફેલાતો અટકાવવા માટે પંજાબની ચન્ની સરકારે એક મોટો નિર્ણય
કોરોનાને ફેલાતો અટકાવવા માટે પંજાબની ચન્ની સરકારે એક મોટો નિર્ણય લીધો છે. રાજ્ય સરકાર દ્વારા જારી આદેશ અનુસાર, 15 જાન્યુઆરથી નવા નિયમ લાગુ પડશે, નવા નિયમ અનુસાર જે લોકોએ વેક્સિનના બન્ને ડોઝ લીધા નથી તેઓ 15 જાન્યુઆરી પછી જાહેરમાં નહીં નીકળી શકે. પંજાબના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર ઓપી સોનીએ કહ્યું કે દેશમાં વધી રહેલા ઓમિક્રોનના કેસના પગલે નાઈટ કર્ફ્યુ લાગુ પાડવાનો સરકારનો પ્લાન છે. તેમણે કહ્યું કે હાલમાં તો પંજાબમાં ઓમિક્રોનનો કોઈ કેસ નથીં.
હરિયામાં પણ લાગુ પડ્યો છે નિયમ
હરિયાણા સરકારે પણ ગત અઠવાડિયે આવો નિયમ લાગુ પડ્યો છે. હરિયાણા સરકારના નિયમ અનુસાર જે લોકોએ વેક્સિન લીધી નથી તેવા લોકો મોલ, રેસ્ટોરન્ટ, બેન્ક અને બીજા જાહેર સ્થળોએ નહીં જઈ શકે.
વેક્સિન વગરના લોકોની જાહેરમાં એન્ટ્રી પર કેટલા રાજ્યોએ મૂક્યો પ્રતિબંધ
પંજાબ
હરિયાણા
રાજસ્થાન
આગામી સમયમાં બીજા રાજ્યો લાગુ પાડશે નિયમ
આગામી સમયમાં બીજા રાજ્યો પણ આ ત્રણ રાજ્યોને પગલે ચાલીને વેક્સિન વગરના લોકોની જાહેરમાં એન્ટ્રી પર પ્રતિબંધ મૂકે તેવી સંભાવના છે. દેશમાં ઓમિક્રોન અને કોરોનાના વધી રહેલા કેસની વચ્ચે આ નિર્ણય ઘણો મહત્વનો છે તેનાથી લોકો વેક્સિન લેતા થઈ જશે.