રાજસ્થાનના અજમેર શહેરમાં કલમ 144 લગાવી દેવામા આવી છે. સાથે જ શહેરમાં આગામી એક મહિના સુધી કોઈ ધાર્મિક આયોજનમાં ઝંડા અને બેનરનો ઉપયોગ કરી શકાશે નહીં .
અજમેરમાં કલમ 144 લાગૂ કરી
એક મહિના સુધી આ નિયમ લાગૂ રહેશે
જાહેર સ્થળો પર કોઈ પણ ઝંડા કે બેનર લગાવી શકાશે નહીં
રાજસ્થાનના અજમેર શહેરમાં કલમ 144 લગાવી દેવામા આવી છે. સાથે જ શહેરમાં આગામી એક મહિના સુધી કોઈ ધાર્મિક આયોજનમાં ઝંડા અને બેનરનો ઉપયોગ કરી શકાશે નહીં .અજમેર જિલ્લા પ્રશાસન તરફથી જાહેર કરવામા આવેલા આદેશ અનુસાર અજમેર શહેર સહિત ગ્રામિણ વિસ્તારોમાં આગામી એક મહિના સુધી કલમ 144 લાગૂ રહેશે. જિલ્લા પ્રશાસને તમામ સાર્વજનિક અને ધાર્મિક સ્થળો પર લાઉડસ્પિકરનો ઉપયોગ પર પ્રતિબંધ લગાવી દીધો છે.
જાહેર જગ્યા પર કોઈ પણ ઝંડા અને બેનર લગાવી શકશો નહીં
સાથે જ આ આદેશમાં કહેવાયું છે કે, જિલ્લામાં થનારા ધાર્મિક આયોજનમાં હવે સરકારી સ્થાળ, સાર્વજનિક ચોક અને વિજળી તથા ટેલીફોનના થાંભલા તથા કોઈ પણ વ્યક્તિની સંપત્તિ પર મંજૂરી વિના કોઈ પણ પ્રકારના બેનર અથવા ઝંડા લગાવી શકશો નહીં.
આદેશનું પાલન નહીં કરે તેના વિરુદ્ધ કડક કાર્યવાહી થશે
સાથે જ આદેશમાં કહેવાયુ છે કે, જો આવું કરતા કોઈ પકડાશે તો, તે શખ્સ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, કહેવાય છે કે, આદેશનું પાલન તુરંત કરવામાં આવે.
અહીં ઉલ્લેખનીય છે કે, થોડા દિવસથી ધાર્મિક સ્થળ પર લાગેલા લાઉડસ્પિકરને લઈને કેટલીય વખત વિવાદ સામે આવી ચુક્યો છે. તેની સાથે સાથે અજમેર જિલ્લા પ્રશાસને શહેરમાં એક મહિના સુધી કલમ 144 લાગૂ કરી દીધી છે. સાથે જ હવે એક મહિના સુધઈ કોઈ પણ ધાર્મિક આયોજનમાં ઝંડા અને બેનરનો ઉપયોગ કરી શકાશે નહીં.
હિન્દુ સંગઠનોએ રેલી કાઢી હતી
આપને જણાવી દઈએ કે, હાલમાં જ રાજસ્થાનના કરૌલી શહેરમાં નવસંવત્સરના અવસર પર હિન્દુ સંગઠનો તરફથી કાઢવામાં આવેલી બાઈક રેલીમાં પથ્થરમારા બાદ ત્યાં હિંસા ભડકી ગઈ હતી. ત્યારથી કરૌલીમાં તણાવનો માહોલ છે. જો કે, હાલમાં શાંતિ છે અને કોઈ પણ પ્રકારની હિંસાની ખબર આવી નથી.