કોરોના વાયરસને લઇ રવિવારથી 31 માર્ચ સુધી રાજસ્થાન સંપૂર્ણ લોકડાઉનનું એલાન કર્યું છે. જોકે, આ દરમિયાન જીવન જરૂરિયાતની વસ્તુઓ જેમકે શાકભાજી અને દૂધની દુકાનોની સાથો સાથ મેડિકલ સ્ટોર ખુલ્લા રહેશે. આ સિવાય કોઈ દુકાન નહીં ખુલે. આ પહેલા કેટલાક રાજ્યોના કેટલાક શહેરોમાં લૉકડાઉન કર્યું છે પરંતુ રાજસ્થાન આને સમગ્ર રાજ્યમાં લાગૂ કરનાર પ્રથમ રાજ્ય બની ગયું છે.
રાજસ્થાનમાં કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. આને ધ્યાને રાખતા મુખ્યમંત્રી અશોક ગેહલોતે શનિવાર રાત્રે એલાન કર્યું છે. તેમણે કહ્યું કે, કોરોના વાયરસને ધ્યાન રાખતા રાજ્યમાં 22 માર્ચથી 31 માર્ચ સુધી લૉકડાઉનમાં રહેશે. શાકભાજ, ડેરી જેવી રોજિંદી જીવન જરૂરિયાતની વસ્તુઓ વેચનાર દુકાનો અને મેડિકલ સ્ટોર ખુલ્લા રહેશે. ગેહલોતનો આ નિર્ણય ઉચ્ચ અધિકારીઓની સાથે થયેલ એક હાઈ-લેવલ મીટિંગમાં લીધા.
ગેહલોતે જાહેરાત કરી છે કે લૉકડાઉન દરમિયાન તમામ સરકારી અને નજીકની ઓફિસ, મૉલ, ફેક્ટરી, પબ્લિક ટ્રાન્સપોર્ટ સહિત બંધ રહેશે. શાકભાજી, દૂધ જેવી રોજિંદા જીવનની જરૂરિયાતની વસ્તુઓની દુકાન અને મેડિકલ સ્ટોર ખુલ્લા રહેશે. તેમણે લોકોને અપીલ કરી કે તેઓ સરકાર તરફથી એડવાઈઝરી જાહેર કરવાનું પાલન કર્યું અને ઘરોથી ન નિકળો.
Rajasthan Chief Minister Ashok Gehlot: In the wake of #coronavirus outbreak, the state to remain in lockdown from March 22 to 31st. Shops selling daily necessities things like vegetables, dairy and medical items to remain open. pic.twitter.com/ggUzRqDBvT
રાજસ્થાન અને ગુજરાતને જોડતી સરહદને સીલ કરી દેવાશે. કોરોના વાયરસને લઇ તંત્ર દ્વારા આ નિર્ણય લેવાયો છે. ગુજરાત અને રાજસ્થાનને જોડતી સરહદને આગામી 31 માર્ચ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. જેમાં અરવલ્લી, શામળાજી અને રતનપુર બોર્ડરને સીલ કરાશે. જેના ભાગરૂપે આજે રાત્રે 12 વાગ્યાથી તમામ સરહદને સીલ કરી દેવાશે.
રાજસ્થાનમાં 25 કેસ, એકલા ભીલવાડામાં 11
રાજસ્થાનમાં શનિવારે કોરોના વાયરસના 8 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા. સંક્રમિત લોકોમાં 5 ભીલવાડાથી જ્યારે એક જયપુરથી છે. કોરોનાના તાઝા કેસની સાથે હવે રાજ્યમાં સંક્રમિત લોકોની સંખ્યા વધીને 33 સુધી પહોંચી છે.
સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે ભીલવાડામાં શુક્રવારે 6 કેસ સામે આવ્યા હતા અને હવે શનિવારે 5 વધુ કેસની પુષ્ટિ થયા બાદ અહીં કોરોના વાયરસના કુલ 11 કેસ થઇ ચૂક્યા છે. જેમાં 9 લોકો ભીલવાડાના મહાત્મા ગાંધી હોસ્પિટલમાં દાખલ છે, જ્યારે 2 જયપુર સ્થિત એસએમએસ હોસ્પિટલમાં દાખલ છે.