કેરળ, મહારાષ્ટ્ર, પંજાબ, હરિયાણા, મધ્ય પ્રદેશ અને ગુજરાતથી રાજસ્થાનમાં આવનારા લોકોને 72 કલાક પહેલા આરટીપીસીઆર ટેસ્ટની નેગેટિવ રિપોર્ટ બતાવવી પડશે.
5 રાજ્યના લોકોએ રાજસ્થાન જતા પહેલા કરાવો પડશે કોરોના ટેસ્ટ
રાજસ્થાન ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા
તમામ સાવધાનિયોનું પાલન કરવાનું રહેશે
કેરળ અને મહારાષ્ટ્રથી રાજસ્થાન આવનારા લોકોની જેમ પંજાબ, હરિયાણા, મધ્ય પ્રદેશ અને ગુજરાતથી રાજ્યમાં આવનારા લોકોને 72 કલાક પહેલા કોરોના વાયરસના આરટીપીસીઆર ટેસ્ટની નેગેટિવ રિપોર્ટ બતાવવી પડશે.
ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા
પડોસી રાજ્યમાં કોવિડ 19નું સંક્રમણ ફરીથી વધવાને ધ્યાનમાં રાખી આ નિર્ણય લેવાયો છે. સાથે રાજસ્થાનમાં આંગણવાડી કેન્દ્ર અને સ્કુલોમાં ધો.5 સુધીના ધોરણ પહેલાની જેમ 31 માર્ચ સુધી બંધ રહેશે. મુખ્યમંત્રી અશોક ગહેલોતની અધ્યક્ષતામાં શુક્રવારે થયેલા કોવિડ 19 મહામારીની સ્થિતની ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા છે.
તમામ સાવધાનિયોનું પાલન કરવાનું રહેશે
ગહેલોતે કહ્યું કે ગત કેટલાક દિવસો દરમિયાન સામાન્ય લોકો દ્વારા પ્રોટોકોલનાં પાલનમાં બેદરકારી ગંભીર ચિંતાનો વિષય છે. તેમણે સ્વાયત્ત શાસન વિભાગ અને સૂચના તથા જનસંમ્પર્ક વિભાગને જાગરુકતા અભિયાનમાં ફરી તેજી લાવવા તથા પોલીસ સહિત અન્ય વિભાગોએ આમાં સહયોગ આપવાના નિર્દેશ આપ્યા. તેમણે કહ્યું કે ક્યાંક આપણે કોરોનાથી જીતેલી જંગ હારી ન જઈએ. એટલા માટે તમામ સાવધાનિયોનું પાલન કરવાનું રહેશે.
રસીકરણ સારી ગતિથી ચાલી રહ્યુ છે.
ગહેલોતે કહ્યું કે રાજ્યોમાં કોરોના વાયરસનું કામ સારી ગતિથી ચાલી રહ્યું છે. પરંતુ આ માટે વધારે તેજી લાવવાની જરુરીયાતા છે. તેમણે કહ્યું કે પ્રાથમિકતા ક્રમમાં નિર્ધારિત શ્રેણીના લોકોને રસી લગાવવા માટે પ્રોત્સાહન આપવા અભિયાન ચલાવવા નિર્દેશ આપવામાં આવ્યા છે. તેમણે અધિકારીઓને કહ્યું કે વિભિન્ન જિલ્લામાં તમામ રસીકરણના કેન્દ્રો પર ભારત સરકાર ને સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી દિશા નિર્દેશોના અનુરુપ વ્યવસ્થા સુનિશ્ચિત કરો.
મોંઘવારીને લઈને સમય રહેતા પગલા ઉઠાવવા જોઈએ
ત્યારે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતના શુક્રવારે કહ્યું કે કેન્દ્ર સરકારને મોંઘવારીને લઈને સમય રહેતા પગલા ઉઠાવવા જોઈએ. નહીંતર લોકોમાં અસંતોષ ઉભો થઈ શકે છે જે દેશના હિતમાં નથી. ગહેલોતના કોંગ્રેસ દ્વારા ચલાવવામાં આવી છે. ‘સ્પીક અપ અગેંસ્ટ પ્રાઈઝ રાઈઝ મુહિમ’ યુવાઓનોના ભાગે લેવાના વખાણ કરતા કેમ્પેન આજે દુનિયાભરમાં બહું શાનદાર રીતે ચાલી રહ્યું છે. લાખો યુવાનો આમા ભાગ લઈ રહ્યા છે.