રાજસ્થાનના દેવી માતાના ઘણા મંદિર છે અને આ ખૂબ જ ફેમસ પણ છે. ઘમા ચમત્કારિક મંદિરોમાંથી એક જીણ માતાનું મંદિર. આ મંદિરનું સત એવું છે કે જ્યાં મુગલ નવાબ ઔરંગઝેબ પોતે નતમસ્તક થઈ ગયા હતા.
રાજસ્થાનમાં આવેલું છે જીણ માતાનું મંદિર
મુગલ નવાબ ઔરંગઝેબ પણ થયા હતા નતમસ્તક
દર મહિને મોકલતા હતા તેલ
રાજસ્થાનના જીણ માતા દેવી મંદિર ખૂબ જ ફેમસ છે. આ મંદિરને લઈને ચમત્કારોની ઘણી સ્ટોરી ફેમસ છે. તેના ઉપરાંત આ મંદિર એટલા માટે પણ અલગ છે કારણ કે અહીં ભક્ત પ્રસાદના રૂપમાં માતાને દારૂ અર્પિત કરે છે.
આ મંદિર રાજસ્થાનના સીકર જિલ્લાના દાંતારામગઢ વિસ્તારના ગામ રલાવતામાં અરાવલી પહાડોની વચ્ચે સ્થિત છે. અહીં જીણમાતાને ચમત્કારોની દેવી કહેવામાં આવે છે. અહીં જીણ માતાનું જ ચમત્કાર હતું કે મુગલ બાદશાહ ઔરંગઝેબની સેના પણ આ મંદિરમાં આવીને નતમસ્તક થઈ ગયા હતા.
ઔરંગઝેબ માંગી હતી માફી
જીણ માતાને લઈને ઘણી સ્ટોરી પ્રચલિત છે. ખાસ કરીને મુગલ બાદશાહ ઔરંગઝેબ સાથે જોડાયેલી ચમત્કારની ઘણી સ્ટોરી તો ખૂબ જ ફેમસ છે. જ્યારે મુગલ આક્રાંતા ભારતના હિંદુ મંદિરો પર આક્રમણ કરીને તેને તોડી રહ્યા હતા તો અમુક મંદિર એવા હતા જેને તોડવામાં મુગલ બાદશાહ નાકામ રહ્યા હતા. ત્યાં જ તેમને જડબાતોડ જવાબ મળ્યો હતો.
રાજસ્થાનના સીકર જિલ્લામાં સ્થિત જીણમાતા મંદિર પણ એવું જ મંદિર છે. જ્યાંરે અહીં મુગલ બાદશાહ ઔરંગઝેબની સેના પહોંચી અને તેમણે આ દેવી મંદિરને તોડવાનો પ્રયત્ન કર્યો તો જીણમાતાએ ચમત્કાર બતાવ્યો. ઔરંગઝેબના સૌનિકો પર મધમાખીઓ તૂટી પડી અને તેમને બેહાલ કરી દીધા.
દર મહિને દેવી મંદિરમાં તેલ મોકલતા હતા ઔરંગઝેબ
મધમાખીઓના આક્રમણથી મુગલ સેના ભાગી હતી અને જીણમાતા મંદિર સુરક્ષિત રહ્યું. કહેવાય છે કે આ ઘટના બાદ મુગલ બાદશાહ ઔરંગઝેબે જીણ માતાની માફી માંગી.
આટલું જ નહીં ત્યાર બાદ બાદશાહ ઔરંગઝેબ દર મહિને પોતાના દરબારથી સવા મણ તેલ પણ જીણમાતા મંદિર મોકલતા હતા. આ પરંપરા લાંબા સમયથી ચાલી રહી છે.
જણાવી દઈએ કે શક્તિપીઠ જીણધામમાં ચૈત્ર નવરાત્રીના અવસર પર 9 દિવસ સુધી જીણ મેળો લાગે છે. જેમાં ભાગ લેવા માટે દેશ-દુનિયાના લાખો શ્રદ્ધાળુઓ પહોંચે છે.