રાજસ્થાનની અજમેર જેલમાં આજીવન કારાવાસની સજા કાપી રહેલા કેદીની પત્નીએ પોતાના પતિને જામીન આપવા માટે રાજસ્થાન હાઈકોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે.
અજમેરની જેલમાં સજા કાપી રહ્યો છે કેદી
પત્નીએ સંતાન પ્રાપ્ત કરવા માટે જામીન માગ્યા
કોર્ટે આપ્યો આ આદેશ
રાજસ્થાનની અજમેર જેલમાં આજીવન કારાવાસની સજા કાપી રહેલા કેદીની પત્નીએ પોતાના પતિને જામીન આપવા માટે રાજસ્થાન હાઈકોર્ટનો દરવાજો ખટખટાવ્યો અને માગ કરી છે કે, વંશ વૃદ્ધિ માટે સંતાન પ્રાપ્તિ જરૂરી છે. મારા પતિ અજમેર જેલમાં સજા કાપી રહ્યા છે, તેમને 15 દિવસના જામીન આપવામાં આવે, જેનાથી સંતાન પ્રાપ્તિ થઈ શકે. ઉંમરકેદની સજા કાપી રહેલા કેદીના લગ્ન થઈ ચુક્યા છે. પણ કોઈ સંતાન નથી. પત્ની લગ્નથી ખુશ છે અને બાળક ઈચ્છે છે, એટલા માટે તેણે અજમેર કલેક્ટરને અરજી કરી હતી. જવાબ ન મળ્યો તો તેણે હાઈકોર્ટમાં અરજી કરી.
કોર્ટે શું કહ્યું
ઉંમરકેદની સજા કાપી રહેલા કેદીને હાઈકોર્ટે સંતાન પ્રાપ્તિ માટે 15 દિવસના જામીન આપ્યા છે. રાજસ્થાન હાઈકોર્ટમાં ન્યાયાધીશ સંદીપ મહેતા અને ફરજંદ અલીની ખંડપીઠે કહ્યું કે, આમ તો પૈરોલ રૂલ્સમાં સંતાન ઉત્પત્તિ માટે પૈરોલની કોઈ જોગવાઈ નથી, પણ વંશ સંરક્ષણના ઉદ્દેશ્યથી સંતાન હોવાનું ધાર્મિક દર્શન, ભારતીય સંસ્કૃતિ અને અલગ અલગ ન્યાયિક ઘોષણાઓના માધ્યમથી માન્યતા આપી છે.
કોર્ટે વધુમાં કહ્યું કે...
એએજી અનિલ જોશીએ રિપોર્ટ મગાવ્યો અને જેમાં કેદી અને તેની પત્નીએ વિધિવત રીતે લગ્ન કર્યા હોવાનું સામે આવ્યું. ઋગ્વેદ અને વૈદિક ભજનોના ઉદાહરણ આપ્યા, તેને મૌલિક અધિકાર પણ કહ્યો. કોર્ટે બંને પક્ષને સાંભળ્યા બાદ કહ્યું કે, દંપત્તિને પોતાના લગ્ન બાદ આજ સુધીમાં કોઈ મુશ્કેલી નથી આવી. હિન્દુ દર્શન અનુસાર ગર્ભધાન, એટલે કે, ગર્ભ ધન પ્રાપ્ત કરવાના 16 સંસ્કારમાં પ્રથમ છે.
ક્યા આધારે મળ્યા જામીન
વિદ્વાનોએ ઋગ્વેદના ખંડ 8.35.10 થી 8.35.12 સુધી વૈદિક ભજનો માટે ગર્ભધાન સંસ્કારથી ખબર પડે છે, જ્યાં સંતાન અને સમૃદ્ધિ માટે વારંવાર પ્રાર્થના કરવામા આવે છે. કોર્ટે એવું પણ કહ્યું છે કે, જો કે, પૈરોલ રૂલ્સમાં કેદીને તેની પત્નીના સંતાન હોવાના આધાર પર પૈરોલ પર છોડી મુકવાની કોઈ જોગવાઈ નથી, તેમ છતાં પણ ભારતીય સંવિધાન દ્વારા ગેરેન્ટીકૃત મૌલિક અધિકારની સાથે અને તેમાં આપેલી અસાધારણ શક્તિનો ઉપયોગ કરતા કોર્ટે અરજી સ્વિકારવાનું યોગ્ય માન્યું છે.