રાજસ્થાનમાં લૉકડાઉન લાગુ થયા બાદ દિવંગત થયેલા લોકોની અસ્થિઓનું વિસર્જન માટે ચલાવવામાં આવનારી વિશેષ બસોને લઇને રાજસ્થાન અને ઉત્તરાખંડ સરકારમાં સહમતિ બની છે. રાજસ્થાન સરકારે આ વિશેષ બસોને કોઇપણ જાતની ફી લીધા વિના ચલાવવાની જાહેરાત કરી છે.
રાજસ્થાન સરકારે અસ્થિ વિસર્જન માટે ફ્રી વિશેષ બસો ચલાવવાની જાહેરાત કરી
અસ્થિ વિસર્જન માટે કોઇપણ પરિવારના બે-ત્રણ સભ્યો આ વિશેષ બસોમાં ફ્રીમાં યાત્રા કરી શકશે
અધિકારીઓએ બતાવ્યું કે રાજસ્થાન સરકારના આગ્રહ પર ઉત્તરાખંડ સરકારે અસ્થિ વિસર્જન માટે બસોના આવવા-જવા પર સહમતિ સાધી છે. તેના કારણે પરિવાર જનો અસ્થિ વિસર્જન સ્થળો પર જઇ શકશે.
આ ઉપરાંત અધિકારી આ સંબંધમાં ઉત્તર પ્રદેશ સરકાર સાથે સહમતિ સાધવાનો પ્રયાસ કરી રહી છે. અસ્થિ વિસર્જન માટે કોઇપણ પરિવારના બે અથવા ત્રણ સભ્યો આ વિશેષ બસોમાં ફ્રીમાં યાત્રા કરી શકશે. મુખ્યમંત્રી અશોક ગહલોત દ્વારા શુક્રવારે કરાયેલ સમીક્ષા બેઠકમાં આમ જાણકારી આપવામાં આવી.
એડિશનલ મુખ્ય સચિવ સુબોધ અગ્રવાલે બેઠકમાં જણાવ્યું કે હવે રાજસ્થાનથી હરિદ્વાર તથા અન્ય અસ્થિ વિસર્જન સ્થળો માટે રોજ ચારથી પાંચ બસો ચલાવાશે. મુખ્યમંત્રી અશોક ગહલોતે આ પહેલા આ પ્રકારની વિશેષ બસો ચલાવવાની જાહેરાત કરી હતી.