કોરોનાની બીજી લહેર લોકોને શિકાર બનાવી રહી છે ત્યારે રાજસ્થાન સરકારે પાંચમા ધોરણ સુધીના બાળકોની પરીક્ષા ન લેવાનો નિર્ણય કર્યો છે.
રાજસ્થાન સરકારનો મોટો નિર્ણય
નહીં થાય શાળામાં 5મા ધોરણ સુધીની પરીક્ષા
કોરોના સંક્રમણને લઈને લેવાયો આ નિર્ણય
राजस्थान सरकार कक्षा 6 एवं 7 की परीक्षा 15-22 अप्रैल तक विद्यालय स्तर पर करवाएगी। कक्षा 9,11 की परीक्षा 6-22 अप्रैल तक जिला स्तर पर कराएगी। कक्षा 8 की परीक्षा बोर्ड के आधार पर आयोजित होगी।
कक्षा 6,7,9 व 11 का परिणाम 30 अप्रैल को आएगा। आगे की कक्षाओं में प्रवेश 1 मई से शरू होगा। https://t.co/5WlxgmHgrU
રાજસ્થાન સરકારે કોરોના વાયરસના સંક્રમણને ધ્યાનમાં રાખીને સરકારી શાળામાં 5મા ધોરણથી હાલના શિક્ષણ સત્રમાં કોઈ પરીક્ષા ન લેવાનો નિર્ણય કર્યો છે. આ તમામ ધોરણમાં બાળકોના આકલનના આધારે તેમને અન્ય ધોરણમાં પ્રમોટ કરાશે. આ સાથે જ ધોરણ 1થી 5 સુધીના બાળકોને સ્માઈલ -1 અને સ્માઈલ -2 તથા આઓ ઘર સે સીખે કાર્યક્રમના આધારે અન્ય ધોરણમાં પ્રમોટ કરાશે. આ પ્રમોશન 1 એપ્રિલ 2021એ કરાશે અને આ માટે કોઈ પરીક્ષા રહેશે નહીં.
નવા ક્લાસમાં પ્રવેશ માટે 1 મે તારીખ નક્કી કરાઈ
વિભાગના જણાવ્યા અનુસાર ધોરણ 6 અને 7ના બાળકોની પરીક્ષા 15-22 એપ્રિલ સુધી શાળા સ્તરે લેવાશે અને સાથે જ ધોરણ 9-11ની પરીક્ષા 6-22 એપ્રિલ સુધી જિલ્લા સ્તરે લેવાનું શરૂ કરાશે. ધોરણ 8ની પરીક્ષા બોર્ડ પેટર્ન પર આયોજિત કરાશે. ધોરણ 6,7, 9 અને 11ની પરીક્ષાનું પરીણામ 30 એપ્રિલે જાહેર કરાશે. બાળકોના આગામી ધોરણમાં પ્રવેશને 1 મેથી શરૂ કરવામાં આવશે. સ્કૂલ શિક્ષા મંત્રી ગોવિંદ સિંહ ડોટાસરાએ ટ્વિટ કર્યું કે કોરોનાના કારણે જન્મેલી સ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારે સ્થાનિક પરીક્ષાઓને વિશે સંવેદનશીલતાથી આ નિર્ણય લીધો છે.