શાહે પોતાના ભાષણમાં ગહેલોતને જવાબ આપ્યો કે તે 5 વર્ષ પુરા કરે, કેમ કે 5 વર્ષ બાદ ભાજપના કાર્યકર્તા ત્રણ ચતુર્થાંશ બહુમતિથી રાજસ્થાનમાં સરકાર બનાવી રહ્યા છે.
શાહે કહ્યું કે ગહેલોત 5 વર્ષ પુરા કરે, કેમ કે 5 વર્ષ બાદ ભાજપ રાજસ્થાનમાં સરકાર બનાવશે
ચૂંટણી ચિન્હ કમળ અને પીએમ મોદીના ચહેરા સાથે ભાજપ મેદાનમાં ઉતરશે- શાહ
શાહે જયપુરમાં જનપ્રતિનિધિ સંકલ્પ મહાસંમેલનને સંબોધિત કર્યા
ચૂંટણી ચિન્હ કમળ અને પીએમ મોદીના ચહેરા સાથે ભાજપ મેદાનમાં ઉતરશે- શાહ
અમિત શાહે રાજસ્થાનને લઈને તસવીર સ્પષ્ટ કરી દીધી છે. તેમણે કહ્યું કે ચૂંટણી ચિન્હ કમળ અને પીએમ મોદીના ચહેરા સાથે ભાજપ મેદાનમાં ઉતરશે. અમિત શાહે કોઈનું પણ નામ લીધા વગર કહ્યું કે જે કોઈ સંગઠનમાં કામ કરશે. સંગઠન માટે પરસેલો પાડશે, તમને ઈનામ મળશે. હકિકતમાં વસુંધરા રાજેના સમર્થકોએ તેમને સીએમ ચહેરો બનાવવાની માંગ કરી રહી છે.
શાહે કહ્યું કે ગહેલોત 5 વર્ષ પુરા કરે, કેમ કે 5 વર્ષ બાદ ભાજપ રાજસ્થાનમાં સરકાર બનાવશે
ત્યારે ગત 2 વિધાનસભામાં વસુંધરા રાજે ભાજપના સીએમ પદનો ચહેરો નથી. આ કારણે શાહનું નિવેદન મહત્વપૂર્ણ મનાઈ રહ્યું છે. જે રીતે પૂર્વ સીએમ વસુંધરા રાજે અને રાજ્યના અધ્યક્ષ સતીશ પૂનિયાની વચ્ચે ખટરાગ ચાલી રહ્યો છે તે જોતા ભાજપની કાર્ય સમિતિને સંદેશ આપવા માટે શાહે જયપુર પ્રવાસ કર્યો હતો. શાહે પોતાના ભાષણમાં ગહેલોતને જવાબ આપ્યો કે તે 5 વર્ષ પુરા કરે, કેમ કે 5 વર્ષ બાદ ભાજપના કાર્યકર્તા ત્રણ ચતુર્થાંશ બહુમતિથી રાજસ્થાનમાં સરકાર બનાવી રહ્યા છે.
તમારા બધાનો ઉત્સાહ, ઉમંગ અને જોશ જોઈને હું વિશ્વાસથી કહી શકુ છું કે ભ્રષ્ટ ગહેલોત સરકારની ઉલટી ગણતરી શરુ થઈ ગઈ છે અને 2023માં 2 તૃત્યાંશ બહુમતની સાથે રાજસ્થાનમાં મોદી જીના નેતૃત્વમાં નિશ્ચિત રુપમાં ભાજપની સરકાર બનશે.
ગહેલોતજી ને ડર લાગે છે કે મારી સરકાર પડી જશે- શાહ
હકિકતમાં સીએમ ગહેલોત પર આરોપ લગાવતા રહ્યા છે . અમિત શાહ રાજસ્થાન સરકારને પાડવાનો પ્રયાસમાં લાગેલા રહે છે. તેવામાં શાહનું આ નિવેદન બહું મહત્વનું માનવામાં આવી રહ્યું છે કે સરકાર આરામથી 5 વર્ષ પુરા કરે અને તે બાદ જ ભાજપ આવશે. અમિત શાહે કહ્યું કે ગહેલોતજી ને ડર લાગે છે કે મારી સરકાર પડી જશે. અરે ભાઈ કોણ તમારી સરકાર પાડી રહ્યું છે. ભાજપ ક્યારેય સરકાર નથી પાડે. અમે તો 2023માં પૂર્ણ બહુમત સાથે સરકારમાં આવીશું.