રાજસ્થાનના કોટામાં જેકે લોન હોસ્પિટલમાં નવજાત શિશુઓના મોતને લઇને મુખ્યમંત્રી CM ગેહલોતની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ લઇ રહી નથી. અત્યાર સુધી વિપક્ષના હુમલાઓનો જવાબ આપી રહેલા ગેહલોત પર પોતાની જ સરકારના ઉપ મુખ્યમંત્રી સચિન પાયલોટે સવાલ ઉઠાવ્યા છે.
ગેહલોત પર પોતાની જ સરકારના ઉપ મુખ્યમંત્રી સચિન પાયલોટે સવાલ ઉઠાવ્યા
સચિન પાયલોટે કહ્યું કે, મને લાગે છે કે આપણે આ મુદ્દા પર વધારે સંવેદનશીલ બનવાની જરૂર છે
સચિન પાયલોટનું આ નિવેદન પોતાની જ પાર્ટી માટે મુસિબત બની શકે છે
રાજસ્થાનના કોટામાં બાળકોના એક પછી એક મોત પર સચિન પાયલોટે કહ્યું કે, મને લાગે છે કે આપણે આ મુદ્દા પર વધારે સંવેદનશીલ બનવાની જરૂર છે. સચિન પાયલોટે કહ્યું કે, સત્તામાં આવ્યાને આપણને 13 મહીના વીતી ચૂક્યા છે અને મને લાગે છે કે, હવે જુની સરકારને દોષ આપવાનો કોઇ અર્થ નથી. જવાબદેહી નક્કી હોવી જોઇએ.
સચિન પાયલોટનું આ નિવેદન પોતાની જ પાર્ટી માટે મુસિબત બની શકે છે. કેમકે આ આખા મામલામાં મુખ્યમંત્રી ગેહલોતના નિવેદનો વિવાદિત રહ્યા છે. જેને વિપક્ષે બિન જવાબદારી વાળા બતાવ્યા છે. એવામાં સચિન પાયલોટનું આ નિવેદન વિપક્ષને વધુ આક્રમક વલણ અપનાવવાની તક આપશે.
Rajasthan Deputy Chief Minister Sachin Pilot on #KotaChildDeaths: I think our response to this could have been more compassionate and sensitive. After being in power for 13 months I think it serves no purpose to blame the previous Govt's misdeeds. Accountability should be fixed. pic.twitter.com/kpD9uxMfUy
આ પહેલી વાર નથી કે, જ્યારે ગેહલોત અને પાયલોટની વચ્ચે ખેંચતાણ જોવા મળી હોય. આ પહેલા આ ખેંચતાણ રાજસ્થાનના મુખ્યમંત્રી પદને લઇને સામે આવી હતી. એવું માનવામાં આવે છે કે, સચિન પાયલોટ ખુદને સીએમ પદના દાવેદાર માની રહ્યા હતા. આમ ન થવા પર સચિન પાયલોટ અને તેમના સમર્થક નારાજ થઇ ગયા હતા.
રાજસ્થાન સરકાર (Rajasthan Government) એ પોતાની રિપોર્ટમાં સ્વીકાર્યું કે હોસ્પિટલમાં નવજાત શિશુઓ માટે ઉપયોગમાં લેવાઇ રહેલા કેટલાક ઇનક્યૂબેટર યોગ્ય રીતે કામ કરવાની સ્થિતિમાં નહોતા.
આ મામલામાં પર મુખ્યમંત્રી અશોક ગહલોત (Ashok Gehlot) એ ટ્વિટ કરી કહ્યું કે, કોટાના જેકે લોન હોસ્પિટલમાં બાળકોના મોત વિશે સરકારી આંકડા બતાવે છે કે, આ વર્ષે 963 બાળકોના મોત થયા છે. જ્યારે વર્ષ 2015માં 1260 બાળકોએ જીવ ગુમાવ્યો હતો. વર્ષ 2016માં આ આંકડો 1193 હતો, આ દરમિયાન રાજ્યમાં બીજેપીની સરકાર હતી. વર્ષ 2018માં 1005 બાળકોના મોત થયા હતા.