રાજસ્થાનમાં સોમવારે પણ રાજકારણ ગરમ રહ્યું હતું. સચિન પાયલટ અને અશોક ગેહલોતની તરફથી દાવો કરવામાં આવી રહ્યો હતો કે તેમની પાસે કેટલા ધારાસભ્યો છે. આ સમયે પાયલટની તરફથી રાતે એક વીડિયો વાયરલ થયો જેમાં કોંગ્રેસના 15 ધારાસભ્યો સાથે બેઠેલા નજરે પડે છે. જ્યારે સચિન પાયલટના નજીકના સૂત્રો જણાવી રહ્યા છે કે વીડિયોમાં 16 ધારાસભ્યો છે અને તેમની સાથે ત્રણ વધુ ધારાસભ્યો છે. આમ છતાં સૂત્રો જણાવી રહ્યા છે કે સચિન પોતાના 30 ધારાસભ્યોના દાવા પર કાયમ છે. ઉલ્લેખનીય છે કે અત્યારસુધી કોંગ્રેસની તરફથી કોઈ પણ સમજાવટના પ્રયાસ થયા નથી અને કોઈએ સચિન પાયલટનો સંપર્ક કર્યો નથી. સચિન પાયલટના તમામ ધારાસભ્યો ક્યાં રોકાયા છે તેને લઈને વીડિયોમાં કોઈ ખુલાસો કરાયો નથી.
સચિન પાયલટનો 30 ધારાસભ્યો સાથે હોવાનો દાવો
વીડિયોમાં દેખાઈ રહ્યા છે ફક્ત 15 ધારાસભ્યો
કોંગ્રેસ તરફથી સમજાવટના કોઈ પ્રયાસ ન થયા હોવાનો સૂત્રોનો દાવો
VIDEO માં જોવા મળી રહેવા સચિન પાયલટની સાથેના ધારાસભ્યોના નામ આ પ્રમાણે છે.
રમેશ મીણા
પીઆર મીણા
સુરેશ મોદી
ગજરાજ ખતના
વિશ્વેન્દ્ર એસ
રાકેશ પારીક
બ્રિજેન્દ્ર ઓલા
વેદ પ્રકાશ
મુકેશ ભાખર
મુરારી મીણા
રામનિવાસ
ઈન્દ્રરાજ એસ
ભવરલાલ શર્મા
દીપેન્દ્ર સિંહ
રામનિવાસ ગાવરિયા
Haryana: Rajasthan Congress MLAs Inder Raj Gurjar, PR Meena, GR Khatana, and Harish Meena among others, at a hotel in Manesar. (Video released from Sachin Pilot's office of MLAs supporting him) pic.twitter.com/IHToT5tkiR
સચિન પાયલટથી ગેહલોત સરકારને કોઈ નુકસાન નહીં- સીએમ અશોક ગેહલોત
અશોક ગેહલોતે દાવો કર્યો કે સચિન પાયલટથી તેમની સરકારને કોઈ ખતરો નથી. ગેહલોતના નિવાસસ્થાને યોજાયેલી બેઠકમાં કોંગ્રેસે દાવો કર્યો કે જે 122 ધારાસભ્યોના સમર્થનમાં સરકાર ચાલતી રહી છે તેમાંથી 106 ધારાસભ્યો તેમની સાથે છે એટલે કે બહુમતથી 6 વધારે. જો કે બેઠકમાં સચિન પાયલટ હાજર રહ્યા ન હચા પણ પાર્ટીમાં હજુ પણ અસમંજસની સ્થિતિ કાયમ છે. તેને લઈને તમામ ધારાસભ્યોને રિસોર્ટમાં લઈ જવાયા છે. રાજસ્થાનમાં સત્તારૂઢ કોંગ્રેસમાં ઉઠેલા સિયાસી બવંડરની વચ્ચે પાર્ટીએ મંગળવારે ફરીથી બેઠક બોલાવી છે.
અન્ય તરફ જયપુર પહોચેલા પાર્ટીના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાનું કહેવું છે પરિવારના ઝઘડા પરિવારમાં જ ઉકેલી લેવા જોઈએ. પરંતુ અન્ય તરફ ગેહલોતની મુશ્કેલીઓ પણ પૂર્ણ થઈ રહી નથી. તેમનો દાવો 109 ધારાસભ્યોનો હતો. પણ તેમના ઘરે થયેલી ધારાસભ્યોની બેઠકમાં 100 ધારાસભ્યો જ હાજર હતા. કેટલાક નિર્દળીય અને નાની પાર્ટીના ધારાસભ્યોનો સમર્થનનો દાવો છે. પાયલટની જેમ ગેહલોત પણ ધારાસભ્યોને પોતાની સાથે રાખીને રિસોર્ટમાં રાખી રહ્યા છે.
ગેહલોત-પાયલટ વચ્ચે ખટરાગ કેમ?
રાજસ્થાનમાં સરકાર રચાઈ ત્યારથી ગેહલોત-પાયલટ વચ્ચે ખટરાગ હતો. CM પદ માટે બન્ને વચ્ચે પહેલાથી જ સંબંધો વણસ્યા હતા. ત્યારે પાયલટને CM બનવું હતું પણ હાઈકમાન્ડના આદેશ મુજબ DyCM બનવું પડ્યું હતું. રાજસ્થાનમાં મહેનત બાદ CM પદ ન મળતા પાયલટ નારાજ હતા તેવું માનવામાં આવે છે. ખાસ કરીને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની નોટિસ બાદ સંબંધો વધુ વણસ્યા. ઉલ્લેખનીય છે કે ધારાસભ્યોને ખરીદવા મામલે સચિન પાયલટને પણ નોટિસ મળી હતી જેમાં તેમને નિવેદન નોંધાવવા માટે કહેવાયું હતું. આવામાં નોટિસ મળ્યા બાદ પાયલટ ગેહલોતથી નારાજ છે. આ ઉપરાંત પાયલટ સમર્થકોને SOGની નોટિસ સ્વીકાર ન હતી. કોંગ્રેસની આ જ લડાઈમાં ભાજપ પોતાનો લાભ જોઈ રહી છે . ભાજપ પણ સચિન પાયલટને મનાવવામાં લાગ્યું છે અને હાલ જ્યોતિરાદિત્ય સિંધિયા પણ પાયલટને મનાવવા મેદાનમાં ઉતર્યા છે.