એક દંપતીએ 5 બાળકો સાથે નર્મદા કેનાલમાં ઝંપલાવ્યું હતું. એક સાથે 7 લોકોના મોતના સમાચાર સાંભળીને બધા ચોંકી ગયા હતા.
શંકર લાલ અને પત્ની બદલીએ પાંચ બાળકો સાથે નહેરમાં ઝંપલાવ્યું
7 લોકોના મોતના સમાચાર સાંભળીને બધા ચોંકી ગયા
નર્મદા મુખ્ય નહેરમાં આખો પરિવાર કૂદી પડ્યો
રાજસ્થાનના જાલોર જિલ્લાના સાંચોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બુધવારે પતિ-પત્નીએ પાંચ બાળકો સાથે નર્મદા કેનાલમાં ઝંપલાવ્યું હતું. જણાવી દઈએ કે પોલીસે તમામ મૃતકોના મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢ્યા છે. પોલીસે જણાવ્યું હતું કે પ્રાથમિક દૃષ્ટિએ આ આત્મહત્યાનો કેસ હોવાનું જણાય છે. મહત્વનું છે કે ગલીફા ગામના રહેવાસી શંકર લાલ અને તેની પત્ની બદલીએ તેમના પાંચ બાળકો સાથે નહેરમાં ઝંપલાવ્યું હતું અને હાલ પરિવારના તમામ સાત સભ્યોના મૃતદેહ 20-25 કિલોમીટર દૂરથી મળી આવ્યા છે.
7 લોકોના મોતના સમાચાર સાંભળીને બધા ચોંકી ગયા
એક દંપતીએ 5 બાળકો સાથે નર્મદા કેનાલમાં ઝંપલાવ્યું હતું. એક સાથે 7 લોકોના મોતના સમાચાર સાંભળીને બધા ચોંકી ગયા હતા. શરૂઆતમાં આ કેસ વિશે કોઈ જાણકારી મળી નહતી પણ હવે ધીરે ધીરે ઘણી વાતો સામે આવી રહી છે. આ ઘૃણાસ્પદ ઘટના પાછળની મોટી કહાની સામે આવી છે. જો કે હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
શંકરે પરિવાર સાથે નર્મદા કેનાલમાં ઝંપલાવ્યું
જણાવી દઈએ કે આ ઘટના 1 માર્ચ 2023ના દિવસે થઈ હતી. બનાવના દિવસે શંકરરામનો પત્ની સાથે ઝઘડો થયો હતો. શંકર અને બદલીને 5 બાળકો હતા. જેમાં ત્રણ પુત્રી અને બે પુત્રો હતા. શંકર તેની પત્ની બદલી અને બાળકો સાથે સિદ્ધેશ્વર ગયો. ત્યારે સમાચાર આવ્યા કે શંકરે પરિવાર સાથે નર્મદા કેનાલમાં ઝંપલાવ્યું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર એક બાળક સિવાય તમામ મૃતદેહ ચુન્નીથી બાંધેલા હતા. એકસાથે 7 મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ હતી. જો કે મૃતકના ભાઈએ આ મામલામાં પાડોશના યુવક વિરુદ્ધ પણ કેસ નોંધાવ્યો છે.
એક રિપોર્ટ અનુસાર શંકરની પત્ની બદલી પાડોશમાં રહેતા યુવક સાથે મોબાઈલ ફોન પર વાત કરતી હતી. જ્યારે શંકરને શંકા ગઈ. એક દિવસ તેણે ગુપ્ત રીતે મોબાઈલ ફોનમાં રેકોર્ડિંગ એક્ટિવેટ કર્યું. બાદમાં જ્યારે શંકરે રેકોર્ડિંગ સાંભળ્યું તો આખું રહસ્ય ખુલ્યું. શંકરે તેની પત્નીને પણ આ વાત સમજાવી પણ મામલો વધી ગયો હતો. જો કે આ પછી પણ શંકરની પત્નીએ યુવક સાથે વાત કરવાનું બંધ કર્યું ન હતું.
નર્મદા મુખ્ય નહેરમાં આખો પરિવાર કૂદી પડ્યો
પોલીસે જણાવ્યું કે મૃતદેહોને કેનાલમાંથી બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલના શબઘરમાં રાખવામાં આવ્યા છે. સાથે જ એમ પણ ખુલાસો થયો હતો કે દંપતી અને બાળકોએ પગ બાંધીને નહેરમાં કુદ્યા હતા. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે શંકરલાલે પોતાની પત્ની સાથેના ઝઘડા બાદ ઘરેલું વિવાદને કારણે આ પગલું ભર્યું હતું. બુધવારે નર્મદા મુખ્ય નહેરમાં આખો પરિવાર કૂદી પડ્યો હોવાની માહિતી મળતાં પોલીસ ટીમે સ્થાનિક ડાઇવર્સની મદદથી બચાવ કામગીરી શરૂ કરી હતી.મૃતકોની ઓળખ શંકરલાલ (32), તેમની પત્ની બદલી (30), તેમની ત્રણ પુત્રીઓ રમીલા (12), કેસી (10), જ્હાનવી (8) અને બે પુત્ર પ્રકાશ (6) અને હિતેશ (3) તરીકે થઈ છે.