ભારતમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે ત્યારે રાજસ્થાનમાં કોરોનાના દર્દીનો રિકવરી રેટ 80 ટકાથી પણ વધારે છે. રાજ્યમાં કોરોનાના કારણે થનારા મોત પણ હવે અટકી ચૂક્યા છે. કોરોનાની સ્થિતિ પર કાબૂ મેળવવા રાજસ્થાનમાં ગેહલોત સરકારે અનેક ઉપાય કર્યા હતા જેનું સકારાત્મક પરિણામ જોવા મળી રહ્યું છે.
રાજસ્થાનમાં ગેહલોત સરકારે લીધા કારગર પગલાં
અહીં કોરોનાનો રિકવરી રેટ 80 ટકાથી પણ વધુ
કોરોનાનું સૌથી વધારે ટેસ્ટિંગ અહીં કરાયું
રિકવરી રેટના કિસ્સામાં રાજસ્થાન દેશભરમાં કોરોના પ્રભાવિત રાજ્યોમાં નંબર 1ના સ્થાને રહ્યું છે. અહીં કોરોનાના દર્દીઓ સાજા થવાનો રેટ 80 ટકાથી વધુ છે. અહીં 8.45 લાખ લોકોના ટેસ્ટ થયા છે દેમાં 19000 આસપાસ દર્દીઓ પોઝિટિવ મળ્યા હતા. મળતી માહિતી અનુસાર અહીં એક્ટિવ કેસની સંખ્યા 3307 છે.
રાજસ્થાનમાં રિકવરી રેટ વધારે હોવાને લઈને અતિરિક્ત મુખ્ય સચિવ સ્વાસ્થ્યના રોહિત કુમાર સિંહે કેટલાક ખાસ પગલાંને અસરકારક ગણાવ્યા છે. જાણો કઈ બાબતો પર ભાર મૂકવાના કારણે આજે રાજસ્થાન મોખરે છે.
ઈંટેન્સિવ ટ્રેસિંગ અને વધુ ને વધુ ટેસ્ટિંગના કારણે રાજસ્થાનમાં કોરોના દર્દીઓ જલ્દી સાજા થઈ રહ્યા છે. આબાદીની રીતે અહીં દેશમાં કોરોના ટેસ્ટ સૌથી વધુ થયા છે. અહીં 1 દિવસમાં 30 હજાર કોરોના ટેસ્ટ થતા હતા.
રાજસ્થાન એ દેશનું પહેલું રાજ્ય છે જ્યાં રાજ્યમાં કોરોનાને કારણે થયેલા મોતનું ઓડિટ થઈ રહ્યું છે. તેનો અર્થ એ કે કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીઓની વિગતો તૈયાર કરવામાં આવી રહી છે. તે જોવામાં આવે છે કે હોસ્પિટલમાં આવતા દર્દીમાં વિલંબ થયો હતો કે કેમ. શું દર્દી પહેલેથી જ ગંભીર બીમારીથી પીડાતો હતો અથવા કોઈ પણ દર્દીને ઓક્સિજન મળવામાં વિલંબ થયો હતો. એજીએસ હેલ્થ રોહિતકુમાર સિંહ કહે છે કે કોરોનાથી થનારા મોતના ઓડિટના કારણે રાજસ્થાનને કોરોના સામેના યુદ્ધમાં મોટી મદદ મળી છે. અમે આ આખો મામલો ફરીથી જોવાનું શરૂ કર્યું છે. ટ્રેસિંગ દરમિયાન આ વસ્તુઓ જોવાની શરૂઆત કરી અને તેને પ્રાધાન્યતામાં રાખ્યું.
રાજસ્થાનમાં કોરોનાના નિયંત્રણનું કારણ મુખ્ય છે. કોરોનાના દર્દી મળતાં જ તેની સારવાર શરૂ કરાય છે અને તુરંત જ આ વિસ્તાર સીલ કરી દેવામાં આવે છે અને સમગ્ર વિસ્તારના નમૂના લેવાનું શરૂ કરવામાં આવે છે. જેના કારણે અસરગ્રસ્ત વિસ્તારનો કોરોના અન્ય વિસ્તારોમાં ફેલાતો નથી.
રાજસ્થાનમાં સમય ગુમાવ્યા વિના અન્ય રાજ્યોમાં કરતાં સારી પદ્ધતિઓ અપનાવવામાં આવી છે. ઉદાહરણ તરીકે, તમિળનાડુમાં કોરોના દર્દીઓ પર અભ્યાસ જાણવા મળ્યું કે રાત્રે કોરોના દર્દીઓમાં ઓક્સિજનનો અભાવ રહે છે, જો આ બાબતને ધ્યાનમાં લેવામાં આવે તો મૃત્યુ રોકી શકાય છે. તે પછી, રાતે રાજસ્થાનમાં કોરોના દર્દીઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું શરૂ કર્યું.
કોરોનાના દર્દીને સાજા થવાનું મોટું કારણ હોસ્પિટલમાં મળનારી સારી સુવિધાઓ પણ છે. અહીં પહેલાંથી કોરોના વાયરસના દર્દીઓને માટે બેડ નક્કી કરી રખાયા છે. ઓક્સીજનની વ્યવસ્થા કરાઈ છે અને દવાઓ પણ શરૂઆતથી જ શરૂ કરવામાં આવે છે. તેના કારણે અનેક લોકો હોસ્પિટલથી સાજા થઈને ઘરે જઈ રહ્યા છે.
કોરોનાના દર્દીઓને અસુવિધા ન થાય, લોકો કાયદો ન તોડે અને ક્વૉરન્ટાઈન ફેસિલિટીમાં રહે તેના માટે સ્થાનીય પ્રશાસનને હંમેશા એક્શનમાં રખાય છે.
રાજસ્થાન સરકારે ઓપરેશન લીઝા શરૂ કર્યું તેના આધારે આયુષ્માન ભારત યોજનાના આધારે સારવાર કરાવનારા વૃદ્ધો અને બીમાર લોકોનો ડેટા લઈને તેમના ઘરમાં જ તેમને ક્વૉરન્ટાઈન કરાતા. તેના કારણે કોરોના સંક્રમણ ફેલાવવાથી રોકી શકાય છે. આ રીતે રાજસ્થાનમાં મોત ઘટ્યા છે.
કોરોના ફેલાતા જ સરકારે પોતાની શરાબ બનાવતી કંપનીઓને બંધ કરીને તેને સેનેટાઈઝર બનાવવામાં શરૂ કરી અને રાજ્યભરની જેલમાં સેનેટાઈઝર અને માસ્ક બનાવવાનું શરૂ કરાયું, સામાન્ય જનતામાં મોટા પ્રમાણમાં માસ્ક અને સેનેટાઈઝર પહોંચાડાયા. પ્રાઈવેટ હોસ્પિટલો પર કડક નિયમો લાગૂ કરાયા.
રાજસ્થાન એક માત્ર પ્રદેશ છે જ્યાં કોરોનાથી બચવા જન જાગરણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
આટલી કોશિશ બાદ પણ નાના શહેર માથાનો દુઃખાવો બની રહ્યા છે. જેમાં ઘોલપુર મુખ્ય છે. અહીં સામાજિક સમારોહમાં મોટા પ્રમાણમાં વાયરસ ફેલાયો. અન્ય કેટલાક વિસ્તારો પણ પજુ ધ્યાન માંગી રહ્યા છે. રાજસ્થાનના સ્વાસ્થ્ય મંત્રી રઘુ શર્મા કહે છે કે હવે દુનિયામાં રાજસ્થાન મોડલની ચર્ચા થઈ રહી છે. અહીંના રિકવરી રેટને જોતાં ભારતની બહારના દેશો પણ રાજસ્થાન સરકારનો સંપર્ક કરી રહ્યા છે.