વિવાદ બાદ પહેલી વખત સચિન પાયલટે નિવેદન આપ્યું હતું. આજે રાહુલ ગાંધી અને પ્રિયંકા સચિન પાયલટ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ તેમણે કહ્યું કે, પદની વાત નથી, માન-સમ્માનની વાત છે. મને પદની કોઇ લાલચ નથી.
વિવાદ પર કમિટિના ગઠનથી સંતુષ્ટઃ પાયલટ
જે લોકોએ મહેનત કરી તે લોકોની સરકારમાં ભાગીદારીઃ પાયલટ
પાર્ટી પદ આપી શકે છે, પદ લઇ પણ શકે છેઃ પાયલટ
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત બાદ સચિન પાયલટે મીડિયા સાથે વાતચીત કરી. સીએમ અશોક ગેહલોત સાથે વિવાદ વચ્ચે પહેલી વખત મીડિયામાં આવેલા સચિન પાયલટે કહ્યું કે, જે લોકોએ મહેનત કરી છે, તેમની સરકારમાં ભાગીદાર થાય. લડાઈ પદ માટે નહોતી, આત્મસમ્માન માટે હતી. પાર્ટી પદ આપે છે, તો પાર્ટી પદ લઇ પણ શકે છે. તેમણે કહ્યું કે, જે વચન આપીને સત્તામાં આવ્યા હતા, તે પૂરા કરીશું.
રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથે મુલાકાત પર સચિન પાયલટે કહ્યું કે, મે પોતાની વાત પ્રમાણિકતાથી રાખી. મને ખુશી છે કે કોંગ્રેસ અધ્યક્ષા અને પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે ચર્ચા કરી. સાથી ધારાસભ્યોની વાતોને અમે સામે રાખી. મને આશ્વાસન આપવામાં આવ્યું કે, ત્રણ સભ્યોની કમિટી જલ્દીથી આ તમામ મુદ્દાઓનું સમાધાન કરશે. આ સૈદ્ધાંતિક મુદ્દા હતા.
#WATCH Sonia Gandhi Ji heard all our concerns and the governance issues that we raised. Formation of the 3-member committee by the Congress President is a welcome step. I think all the issues will be resolved, says Sachin Pilot, Congress #RajasthanPoliticalCrisispic.twitter.com/fxHPr9A7gY
પાયલટે કહ્યું કે, મને પદની બહુ લાલસા નથી, પરંતુ હું ઇચ્છતો હતો કે જે માન-સન્માન-સ્વાભિમાનની વાત અમે કરતા હતા તે બની રહે. અમે હંમેશા પ્રયત્નો કર્યા છે કે જેમની મહેનતથી સરકારનું નિર્માણ થયું છે તે લોકોની ભાગીદારી સુશ્ચિત કરવામાં આવે. મારી ફરિયાદોનું સમાધાન થશે. રાહુલ-પ્રિયંકા ગાંધીએ મારી વાત માની છે, મેં દોઢ વર્ષ જે કર્યું તે હાઇકમાન્ડને જણાવ્યું છે. સમયબધ્ધ રીતે વાત કરીને કોઇ ઉકેલ નિકળશે.