રાજસ્થાનના ઉદયપુરમાં કોંગ્રેસનું ત્રણ દિવસીય ચિંતન શિબિર આજથી શરૂ થઈ રહ્યું છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સહિત કોંગ્રેસના દેશભરમાંથી 400 મોટા નેતાઓ તેમાં જોડાશે.
રાજસ્થાનમાં કોંગ્રેસનું મહામંથન
400થી વધારે નેતાઓ એકઠા થશે
પ્રથમ દિવસે સોનિયા ગાંધીએ કર્યું સંબોધન
રાજસ્થાનના ઉદયપુરમાં કોંગ્રેસનું ત્રણ દિવસીય ચિંતન શિબિર આજથી શરૂ થઈ રહ્યું છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સહિત કોંગ્રેસના દેશભરમાંથી 400 મોટા નેતાઓ તેમાં જોડાશે. સોનિયા ગાંધીએ ચિંતન શિબિરના પ્રથમ દિવસે કોંગ્રેસ નેતાઓને સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેમણે કેન્દ્ર સરકાર પર પણ આકરા પ્રહારો કર્યા હતા. સોનિયા ગાંધીએ કહ્યું કે, હાલમાં કેન્દ્ર સરકાર નફરત ફેલાઈવીને અલ્પસંખ્યક સમુદાયને દબાવી રહી છે.
LIVE: Congress President Smt. Sonia Gandhi's opening address at the 'Nav Sankalp Chintan Shivir - 2022', Udaipur. https://t.co/O2AXqjO9Yh
પાર્ટીએ ઘણુ આપ્યું હવે ઋણ ચુકવવાનો વારો-સોનિયા ગાંધી
સોનિયા ગાંધીએ કહ્યું હતું કે, આપણે બહું મોટા પાયે પરિવર્તન લાવી શકીએ છીએ, તેથી આપણી વ્યક્તિગત અપેક્ષાઓને સંગઠનની જરૂરિયાત હિસાબે ઢાળવી પડશે. પાર્ટીએ ઘણુ બધું આપ્યું છે. હવે ઋણ ચુકવવાનો વારો આવ્યો છે. એક વાર ફરીથી સાહસ દેખાડવાની જરૂર છે. દરેક સંગઠનને જીવતા રાખવા માટે પરિવર્તન જરૂરી હોય છે. તેથી આપણે સુધારાની તાતી જરૂર છે. આ પાયાના મુદ્દા છે.
By now it has become abundantly & painfully clear what PM Modi and his colleagues really mean by their slogan 'Maximum governance, minimum government': Congress interim president Sonia Gandhi at the party's 'Nav Sankalp Chintan Shivir'
1/2 pic.twitter.com/bxNF1mN8QO
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) May 13, 2022
અલ્પસંખ્યકના મુદ્દા પર સોનિયા ગાંધી
સોનિયા ગાંધીએ કહ્યું કે, અત્યાર સુધીમાં આ એકદમ સ્પષ્ટ થઈ ગયું છે કે, પીએમ મોદી અને તેમના સહયોગીઓ હકીકતમાં 'મિનિમમ ગવર્મેન્ટ મેક્સિમમ ગવર્નન્સ' નો શું અર્થ ? તેનો શું અર્થ છે કે, દેશનું ધ્રુવીકરણની સ્થાયી સ્થિતિમાં રાખવું, લોકોને સતત ભય અને અસુરક્ષાની સ્થિતિમાં રહેવા માટે મજબૂર કરવા, અલ્પસંખ્યકોને ષડયંત્ર અંતર્ગત ટાર્ગેટ બનાવવા અને તેમના પર અત્યાચાર કરવો, જે આપણા સમાજનું અભિન્ન અંગ છે અને આપણા દેશના સમાન નાગરિકો છે.
It is also an occasion to deliberate on the many tasks ahead of us. It is both 'Chintan' about national issues and meaningful 'aatmachintan' about our party organisation: Congress interim president Sonia Gandhi in Udaipur pic.twitter.com/Om9WyqaqnX
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) May 13, 2022
કોંગ્રેસમાં માળખાગત સુધારની ખાસ જરૂર- સોનિયા ગાંધી
સોનિયા ગાંધીએ ચિંતન શિબિરમાં સંબોધન કરતા કહ્યું કે, - ભાજપ અને RSSની નીતિયોથી દેશ પડકારોનો સામનો કરી રહ્યો છે. તેના પર વિચાર કરવા માટે આ શિબિર એક ખૂબ સારો અવસર છે. આ દેશના મુદ્દા પર ચિંતન અને પાર્ટીની સામે સમસ્યાઓ પર આત્મચિંતન બંને છે. સોનિયા ગાંધીએ કહ્યું કે, કોંગ્રેસમાં માળખાગત સુધારની ખાસ જરૂર છે.