રાજસ્થાન સરકારનો બહુચર્ચિત પહલૂ ખાન લિન્ચિંગ કેસની તપાસમાં સામેલ ચાર પોલીસ અધિકારીઓ વિરુદ્ધ એક્શન લેવામાં આવ્યો છે. ક્રાઇમ બ્રાન્ચના ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (CID CB) ના એડિશ્નલ ડિરેક્ટર જનરલ બીએલ સોનીએ કહ્યું, પહલૂ ખાન કેસ માટે ગઠિત વિશેષ તપાસ ટીમની રિપોર્ટના આધાર પર વિજિલન્સ બ્રાન્ચે આ મામલાની તપાસ સાથે જોડાયેલા ચાર પોલીસ અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહીની શરૂઆત કરી છે.
પહલૂ ખાન મોબ લિન્ચિંગ કેસમાં અધિકારીઓએ તપાસમાં ખામીઓ રાખી હતી
કેસની તપાસમાં સામેલ હતા આ ચાર અધિકારીઓ
પોલીસે આ મામલે ઇન્ડિયન એક્સપ્રેસ સાથેની વાતચીત કરતા જણાવ્યું કે, પહલૂ ખાન (Pehlu Khan) મામલામાં તપાસની શરૂઆત બેહરોર પોલીસ સ્ટેશનના એસએચઓ (સ્ટેશન હાઉસ ઓફિસર) રહેલા રમેશ ચંદ્ર સિનસિનવારે કરી હતી. ત્યારબાદ આ કેસ બેહરોરના સર્કિલ ઓફિસર પરમલ સિંહ, ત્યારબાદ કોટપુતલીના એડિશ્નલ એસપી રામ સ્વરુપ શર્માની પાસે ગયો. જે જયપુર ગ્રામ્ય ક્ષેત્રમાં આવે છે. ત્યારબાદ સીબી-સીઆઇડીના એડિશ્નલ એસપી ગોવિંદ દેથાએ આ કેસમાં તપાસ કરી હતી.
સરકાર એક્શનમાં
આ ચારેય અધિકારીઓ હવે એસઆઇટીની તપાસનો સામનો કરશે. તેનું ગઠન અશોક ગહલોત (Rajasthan CM Ashok Gehlot) સરકારે કર્યો હતો. સરકારનો આ નિર્ણય અલવર કોર્ટ તરફથી લિન્ચિંગ કેસમાં સામેલ તમામ 6 આરોપીઓને મૂક્ત કર્યા બાદ સામે આવ્યો છે.
અધિકારીઓ મુજબ સિંહ અને હવે રિટાયર્ડ થઇ ચૂકેલા સિનસિનવારે પોતાની તપાસમાં ઘણી ખામીઓ રાખી હતી. શર્મા અને દેથાએ પણ બંને અધિકારીઓ દ્વારા કરવામાં આવેલી ખામીઓમાં સુધાર નહોતો કર્યો.