રાજસ્થાનમાં સત્તાના સંકટની વચ્ચે મુખ્યમંત્રી અશોક ગહેલોતના નજીકના લોકોને ત્યાં આયકર વિભાગે કમર કસવાનું શરુ કર્યુ. આયકર વિભાગના 200થી વધારે અધિકારીઓ અને કર્મચારીઓએ દિલ્હી અને રાજસ્થાનની કેટલીય જગ્યાઓ પર રેડ પાડી છે. આ રેડ અશોક ગહેલોતના નજીકના ધર્મેન્દ્ર રાઠોડ અને રાજીવ અરોરાની મિલકતો પર પાડવામાં આવી છે.
મંત્રીપદના શપથ પહેલા અશોક ચવ્હાણની વધી શકે મુશ્કેલી
શપથ પહેલા જ અશોક ચવ્હાણ પર EDનો સંકજો
બુધવારે કોલાબાની આદર્શ સોસાયટીએ EDની ટીમ પહોંચી
સીએમ અશોક ગહેલોતના નજીકના અને જ્વેલરી ફાર્મના માલિક રાજીવ અરોરાના ઠેકાણા પર સોમવારે સવારે આયકપ વિભાગની ટીમ પહોંચી હતી. તેના ધર અને ઓફિસ પર દરોડા પાડ્યા હતા. મહત્વની વાત એ છે કે રેડની સૂચના સ્થાનીક પોલીસને આપવામા આવી નથી. આયકર વિભાગની ટીમ કેન્દ્રીય રિઝર્વ પોલીસની સાથે આ રેડ પાડી રહી છે.
રાજીવ અરોરા ઉપરાંત ધર્મેન્દ્ર રાઠોડના ઘર અને ઓફિસમાં આયકર વિભાગની ટીમે રેડ પાડી હતી. ધર્મેન્દ્ર પણ સીએમ અશોક ગહેલોતના નજીકના માનવામાં આવે છે. બન્નેને દેશની બહાર કરવામાં આવેલા ટ્રાન્જેક્શન વિશે પુછવામાં આવી રહ્યું છે.
બન્નેના 24 ઠેકાણા પર રેડને લઈને કોંગ્રેસે સ્થાનિક પોલીસને સાથે નહીં રાખી રેડ પાડવા પર સવાલ ઉઠાવ્યા છે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસે ભાજપ પર સરકારને અસ્થાયી કરવાનો આરોપ લગાવ્યો હતો. જોકે સંબિત પાત્રાએ આ આરોપો નકાર્યા હતા અને કહ્યું કે આને હાલના સત્તા પરના સંકટ સાથે કોઈ લેવા દેવા નથી આયકર વિભાગ પોતાનું કામ કરી રહ્યુ છે.