રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતના નજીકના લોકો પર ગાળિયો વધુ કસાતો જોવા મળી રહ્યો છે. ખાતર કૌભાંડમાં પ્રવર્તન નિદેશાલય (ED) દ્વારા આજે કેટલાંક સ્થળો પર દરોડા પાડવામાં આવ્યાં છે. જેના હેઠળ આજે મુખ્યમંત્રી અશોક ગેહલતોના ભાઇ અગ્રસેન ગેહલોતના ઘરે EDએ દરોડા પાડ્યાં છે.
રાજસ્થાનમાં રાજકીય સંકટ વચ્ચે EDની કાર્યવાહી
ખાતર કૌભાંડ મામલે EDની કાર્યવાહી
ખેડૂતોના ખાતરના પૈસા ખાનગી કંપનીઓ આપ્યાનો આરોપ
ગત થોડા દિવસો પહેલા જ મુખ્યમંત્રી અશોક ગેહલોતના ભાઇ અગ્રસેન ગેહલોતનું નામ ખાતર કૌભાંડમાં સામે આવ્યું હતું. આરોપ છે કે અગ્રસેન ગેહલોતે 2007થી 2009વી વચ્ચે ખેડૂતોના ખાતરના રૂપિયા ખાનગી કંપનીઓને આપી દીધા. આ દરમિયાન કેન્દ્રમાં મનમોહન સિંહની સરકાર હતી અને રાજ્યમાં અશોક ગેહલોત મુખ્યમંત્રી હતા.
ખાતર કૌભાંડ મામલાને લઇને ED એ લઇને રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, ગુજરાત અને દિલ્હીના કેટલાક સ્થાનો પર દરોડા પાડ્યાં હતા.
Agrasen Gehlot is the owner of a company named Anupam Krishi. Customs Department has prosecuted and levied a penalty of Rs 7 crores on his company. https://t.co/gwPtge4Mba
શું છે પુરો મામલો
ખરેખરે મ્યૂરિએટ ઓફ પોટાશ (MOP) નિકાસ માટે પ્રતિબંધિત છે. MOPને ભારતીય પોટાશ લિમિટેડ (IPL) દ્વારા આયાત કરવામાં આવે છે અને ખેડૂતોને ડિસ્કાઉન્ટ રેટ પર વિતરણ કરવામાં આવે છે.
આરોપ છે કે 2007-2009ની વચ્ચે અગ્રસેન ગેહલોત (જે IPLના અધિકૃત ડીલર હતા) એ ડિસ્કાઉન્ટ કિંમતો પર MoP ખરીદ્યુ અને ખેડૂતોને વિતરણ કરવાના બદલે તેઓએ કેટલીક ખાનગી કંપનીઓને વેચી દીધું. ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સે 2012-13માં આ અંગેનો ખુલાસો કરવામાં આવ્યો હતો.