વડોદરા એરપોર્ટ પર રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતનુ મોટુ નિવેદન સામે આવ્યું છે, તેમણે કહ્યું કે, ગુજરાતમાં સરકાર વિરોધી લહેર છે અને અહીં કોંગ્રેસ જીતશે
વડોદરા એરપોર્ટ પર અશોક ગેહલોતનુ નિવેદન
અમને આશા છે ગુજરાતમાં કોંગ્રેસ જીતશેઃ ગેહલોત
ગુજરાતમાં સરકાર વિરોધી લહેર છેઃ ગેહલોત
ગુજરાતમાં ચૂંટણીનો ધમધમાટ ચાલી રહ્યો છે. જેમ જેમ મતદાનની તારીખો નજીક આવી રહી છે તેમ તેમ પ્રચારો તેજ થઈ રહ્યાં છે. ગુજરાત સત્તા બરકરાર રાખવા માટે વડાપ્રધાન મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પ્રચારની કમાન સંભાળી છે તો બીજી તરફ કોંગ્રેસમાં અશોક ગેહલોત સહિતની ટીમના ગુજરાતમાં દોર યથાવત છે તો આ વખતે ગુજરાતમાં એન્ટ્રી લઈ રહેલા પક્ષ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ પણ સતત ગુજરાતમાં પ્રચાર કરી રહ્યાં છે અને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ ગુજરાત પ્રવાસે છે. આ બધાની વચ્ચે રાજસ્થાનના મુખ્યમંત્રી અને કોંગ્રેસના અગ્રણી નેતા અશોક ગહેલોતનું મોટું નિવેદન સામે આવ્યું છે.
અશોક ગેહલોત વડોદરામાં નિવેદન
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતે વડોદરામાં નિવદન આપ્યું છે કે, મોદી અને અમિત શાહનું ગુજરાત હોમટાઉન છતાં વારંવાર આવવું પડે છે અને અહી સરકાર વિરોધી લહેર વધુ છે અને કોંગ્રેસ માટે ગુજરાતમાં સારી લહેર ચાલે છે. તેમણે ભાજપ પ્રહાર કરતા કહ્યું કે, જો ભાજપ માટે સારો માહોલ હોય તો કેન્દ્રીય મંત્રીઓની ફોજને પ્રચારમાં કેમ ઉતારવા પડ્યા હોય તેમણે જણાવ્યું કે, આ વખતે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે. વડોદરા એરપોર્ટ પર અશોક ગેહલોતે કહ્યું કે, અમને આશા છે ગુજરાતમાં કોંગ્રેસ જીતશે અને ગુજરાતમાં હાલાત ગંભીર છે
ગુજરાતમાં સરકાર વિરોધી લહેર ચાલી રહી છે: અશોક ગેહલોત
તેમણે કહ્યું કે, કોંગ્રેસ પક્ષની તરફમાં સારો માહોલ છે અને ગુજરાતમાં સરકાર વિરોધી લહેર ચાલી રહી છે. તેમણે જણાવ્યું કે, હું 2017માં અહીં પ્રભારી હતો અને મેં જોયું તે પ્રમાણે આ વખતે ગુજરાતમાં સરકારી વિરોધી લહેર વધુ છે અને આ વખતે કોંગ્રેસ અહી સરકાર બનાવશે. તેમણે ઉમેર્યું હતું કે, અમને ઉમ્મીદ છે કે, આ વખતે આમારી સરકાર બનશે અને જે રીતે મોદીજી વારંવાર ગુજરાત આવરી રહ્યાં છે અમિત શાહ પણ પ્રચાર કરી રહ્યાં છે અહીં તેઓ ગલ્લી, મહોલ્લામાં પ્રચાર કરે તે રીતે તે પણ પ્રચાર કરી રહ્યાં છે. જે જોતા જાણી શકાય કે, ભાજપ વિરોધી લહેર છે. તેમણે કહ્યું કે, આમ આદમી પાર્ટી તો ગાયબ થઈ ગઈ છે જેનાથી જાણી શકાય છે મીલિ ભગત હોઈ શકે અને ગુજરાતમાં જુઠ્ઠા વાદા કર્યો છે.