રાજસ્થાનના કોટાના નાયપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલી ચંબલ નદીના પુલ પરથી મોડી રાતે લગ્ન માટે થઈ રહેલી એક કાર નદીમાં ખાબકી હતી.
રાજસ્થાનમાં મોડી રાતે મોટી દુર્ઘટના
જાનની ગાડી નદીમાં ખાબકી
જાનૈયા અને વરરાજા સહિત 9 લોકોના મોત
રાજસ્થાનના કોટાના નાયપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલી ચંબલ નદીના પુલ પરથી મોડી રાતે લગ્ન માટે થઈ રહેલી એક કાર નદીમાં ખાબકી હતી. તેમાં વરરાજા સહિત નવ લોકોના મોત થઈ ચુક્યા છે. પ્રાથમિક જાણકારી અનુસાર આ જાન બરવાડાથી ઉજ્જૈન થઈ રહી હતી. જે કાર નદીમાં ડૂબી જવાથી વરરાજા સહિત 9 લોકોના મોત થઈ ચુક્યા છે.
Rajasthan | Eight people died after their car fell off Chhoti Puliya and into the Chambal river in Kota. The occupants of the car were going to a wedding. The car was retrieved with the help of a crane. pic.twitter.com/TYjWlioP2q
નવ લોકોના મોતની પુષ્ટિ થઈ છે. જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હોવાની વાત પણ મળી આવી છે. આટલી મોટી દુર્ઘટનાની જાણ થતાં જિલ્લા પ્રશાસન ઘટના સ્થળે પહોંચી ગયું હતું અને રાહત અને બચાવ કાર્યમાં મદદ કરી કારને બહાર કાઢવામાં આવી હતી. ઘટના સ્થળ પર પોલીસ તથા લોકોની ભારે ભીડ જમા થઈ ગઈ હતી. દુર્ઘટનાની જાણ થતાં જ મોટા અધિકારી, પોલીસ પ્રશાસન અને જિલ્લા પ્રશાસન ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા.
ઓમ બિરલાએ સંવેદના વ્યક્ત કરી
આ બાજૂ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ આ ઘટના પર ગંભીર રીતે દુ:ખ વ્યક્ત કર્યું છે. સ્પીકરે કહ્યું કે, કેટલાય લોકોના અસામયિક નિધન હ્દય વિદારક છે. તેમના પરિજનો પ્રત્યે મારી સંવેદના છે.