ઉદયપુરમાં જેહાદીઓની હત્યાનો ભોગ બનેલા ટેલર કન્હૈયાલાલના બે સંતાનોને રાજસ્થાન સરકારે મોટી રાહત આપી છે.
ઉદયપુરના કન્હૈયાલાલના બે પુત્રોને મોટી રાહત
રાજસ્થાનની ગેહલોત સરકારે બન્ને માટે કરી નોકરીની જાહેરાત
ગેહલોતે કેબિનેટે આપી મંજૂરી
ગેહલોત કેબિનેટે બુધવારે ઉદયપુરની ઘટનામાં માર્યા ગયેલા કનૈયાલાલ તેલીના પુત્રો યશ અને તરુણ તેલીને સરકારી નોકરી આપવાનો સંવેદનશીલ નિર્ણય લીધો છે. ગેહલોત કેબિનેટની આજે મળેલી બેઠકમાં બન્ને સંતાનોને નોકરી આપવાની મંજૂરી આપવામાં આવી હતી.
કયા વિભાગમાં નોકરી આપશે
બન્ને પુત્રોને રાજસ્થાન ગૌણ કચેરી કારકુની સેવા (સુધારા) નિયમો, 2008 અને 2009ના નિયમ 6સી હેઠળ નિયુક્ત કરવામાં આવશે. સરકારી નોકરી મળવાને કારણે તેમના પરિવારને મોટી રાહત મળશે.
Rajasthan cabinet decides to appoint deceased Udaipur tailor Kanhaiya Lal's sons Yash Teli and Tarun Teli in state service pic.twitter.com/ZQf4HdeVhs
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) July 6, 2022
30 જૂને મુખ્યમંત્રી અશોક ગેહલોત કન્હૈયાલાલને પરિવારને 51 લાખનો ચેક આપ્યો હતો
ઉલ્લેખનીય છે કે આ પહેલા 30 જૂને ઉદયપુર જઈને કન્હૈયાલાલને પરિવારને 51 લાખનો ચેક આપ્યો હતો અને તેમણે બન્ને પુત્રોને નોકરી આપવાની પણ જાહેરાત કરી હતી.
સીએમ ગેહલોતે આપ્યું મોટું નિવેદન
સીએમ ગેહલોતે ટ્વિટ કરીને કહ્યું કે કન્હૈયાલાલના હત્યારાઓને અમારી પોલીસે તે જ દિવસે ધરપકડ કરી હતી. હું પણ જોધપુરનો મારો બધો કાર્યક્રમ છોડીને જયપુર પાછો આ ભયાનક ઘટના પર સર્વદળીય બેઠક બોલાવવા માટે આવ્યો હતો, પરંતુ ભાજપના નેતાઓએ આ બેઠકને બદલે હૈદરાબાદમાં તેમની કારોબારીની બેઠકમાં જવાનું યોગ્ય માન્યું હતું. અમે હજી સુધી અમારી તપાસમાં કોઈ ઉણપ રાખી નથી.