રાજસ્થાન ભાજપમાં હાલ બધુ બરોબર ચાલી રહ્યું નથી. હવે પાર્ટીની અંદર જ ખુલીને જૂથવાદ સામે આવી રહ્યો છે. રાજ્યમાં ભાજપના અધ્યક્ષ સતીશ પૂનિયાએ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી હતી.
આ મુલાકાત બાદ સોશિયલ મીડિયા પર પ્રદેશ કાર્યકારિણી અને જિલ્લા કાર્યકારિણીની યાદી વાયરલ થવા લાગી. આ મુદ્દે સતીશ પૂનિયાએ જણાવ્યું કે પાર્ટીમાં આવી કોઇ પરંપરા નથી રહી કે સમર્થક પોતાની ટીમ જાહેર કરે. પુનિયાએ કહ્યું, વસુંધરા સમર્થકોએ પોતાની ટીમ બનાવી લીધી છે. આ મામલા અંગે કેન્દ્રીય નેતૃત્વની ટીમને ખબર છે. અમને જેવો આદેશ મળશે, તેવું જ કરવામાં આવશે.
સતીશ પૂનિયાએ કહ્યું, વસુંધરા સમર્થકોની તરફથી જાહેર કરવામાં આવેલી યાદીમાં સંગઠનના લોકો નથી. આ યાદીમાં એવા નામો છે જેને કોઇ ઓળખતું નથી. જો કે કેટલાંક પૂર્વ ધારાસભ્ય પણ આ યાદીમાં સામેલ છે.
પુનિયાએ કહ્યું કે આવી યાદીઓથી સંગઠનમાં કોઇ ફરક પડવાનો નથી. જ્યારે વસુંધરા રાજેના સમર્થક રાજસ્થાન મંચનો દાવો છે કે આ યાદીને જાહેર કરવાથી ભાજપને જ ફાયદો થવા જઇ રહ્યો છે. રાજસ્થાનના પ્રદેશ અધ્યક્ષે કહ્યું કે તેના દ્વારા વસુંધરા સરકારના કામકાજને જનતા સુધી પહોંચાડી રહ્યાં છે.
રાજસ્થાનમાં રાજકીય ગરમાવાનો અંદાજ ત્યારે જ લાગી ગયો હતો જ્યારે વસુંધરા રાજેને છોડીને વરિષ્ઠ કોંગ્રસ નેતાઓને દિલ્હી બોલાવ્યા હતા. સતીશ પૂનિયાની સાથે ગુલાબ ચંદ કટારિયા પણ જે પી નડ્ડા સાથે મળવા પહોંચ્યાં હતા. ઉપનેતા પ્રતિપક્ષ રાજેન્દ્ર રાઠોર પણ દિલ્હી પહોંચ્યા હતા. એવું માનવામાં આવી રહ્યું છે કે કેન્દ્રીય નેતૃત્વના આ નિર્ણયથી વસુંધરા સમર્થકોમાં પણ રોષ છે એટલા માટે મુલાકાત બાદ તરત યાદી સોશિયલ મીડિયા પર ફરવા લાગી.
રાજસ્થાનના રાજકારણમાં આ નવું નથી. આ પહેલા અશોક ગેહલોતે ભાજપ પર આરોપ લગાવી રહ્યાં હતા કે સરકારને તોડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. એ પણ અંદાજો લગાવામાં આવી રહ્યો છે કે જેપી નડ્ડાએ પણ કોંગ્રસ સરકારનો તોડવા માટે નેતાઓને દિલ્હી બોલાવ્યાં હતા. સતિશ પૂનિયાએ આ સામાન્ય બેઠક ગણાવી હતી.