કન્દ્ર સરકારના કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતો છેલ્લા 50 દિવસ કરતા પણ વધારે દિવસોથી દિલ્હીની સરહદ પર આંદોલન કરી રહ્યા છે. અનેક પ્રયાસો છતાં કોઈ સમાધાન થયું નથી. ત્યારે રાજસ્થાનના દૌસાના ભાજપના સાંસદ જસકૌર મીણાએ કાયદાનો વિરોધ કરનારા ખેડૂતોની સરખામણી ખાલિસ્તાની સાથે કરી છે.
મીણા પોતાના નિવેદનમાં વારંવાર ખેડૂતોને આતંકવાદી ગણાવી રહ્યા છે
આ કૃષિ કાયદાનું જ જોઈ લો કે આંતકવાદી બેઠેલા છે - મીણા
મીણા પોતાના નિવેદનમાં વારંવાર ખેડૂતોને આતંકવાદી ગણાવી રહ્યા છે
દૌસા સાંસદ જસકૌર મીણા પોતાના નિવેદનમાં વારંવાર ખેડૂતોને આતંકવાદી ગણાવી રહ્યા છે. મીણાએ કહ્યું પીએમ નરેન્દ્ર મોદીને યુગપુરુષ છે જે દેશને બદલવા ઈચ્છે છે અને કૃષિ કાયદો આ તરફ એક પગલુ છે. મીણાએ વધુમાં કહ્યું કે ખેડૂત આંદોલનમાં આતંકી એકે 47 લઈને બેઠા છે. જે ત્યાં બેઠા છે તે ખાલિસ્તાની છે. જો કે મીણાના આ નિવેદન પર ભાજપે એમ કહી મુદ્દાને યોગ્ય ગણાવવાનો પ્રયાસ કર્યો કે તેમનો ઈરાદો ખેડૂતોને આતંકી કહેવાનો નહોંતો.
આ કૃષિ કાયદાનું જ જોઈ લો કે આંતકવાદી બેઠેલા છે - મીણા
રાજસ્થાન પ્રદેશ કોંગ્રેસ કમિટીના સત્તાવાર ટ્વીટર હેન્ડલે બુધવારે એક વીડિયો શેર કર્યો જેમાં મીણા આ કહેતા નજરે પડે છે. વીડિયોમાં મીના કહી રહ્યા છે કે હવે આ કૃષિ કાયદાનું જ જોઈ લો કે આંતકવાદી બેઠેલા છે અને આતંકવાદીઓએ એકે 47 રાખી છે. ખાલિસ્તાનના ઝંડા લગાવેલા છે.
ભાજપના ધારાસભ્ય અને પ્રવક્તા રામલાલ શર્માએ કહ્યુ કે મીણાનો ઈરાદો ખેડૂતોને આતંકવાદી કહેવાનો નહોતો. તેમનો કહેવાનો મતલબ એ હતો કે કેટલાક લોકો જે ખાલિસ્તાનની માંગ કરી રહ્યા છે અથવા ખાલિસ્તાન જિંદાબાદના નારા લગાવી રહ્યા છે અને ખાલિસ્તાનના ઝંડા લહેરાવી રહ્યા છે. તે ખેડૂતોના વિરોધ પ્રદર્શનમાં ઘૂસીને બેઠા છે. તેમનો ઈરાદો ખેડૂતોને આતંકવાદી કહેવાનો નહોંતો. વધુમાં કહ્યુ કે કોંગ્રેસ ખરેખર ખેડૂતોની શુભચિંતક હોત તો 7 લાખ ખેડૂતોને દેવામાંથી રાહત મળી હોત.