રાજસ્થાનના ભાજપના ધારાસભ્ય મદન દિલાવરે આરોપ લગાવ્યો છે કે ખેડૂત આંદોલનમાં બેઠેલા લોકો રોજ ચિકન બિરયાની, ડ્રાય ફ્રૂટ્સ અને અન્ય લઝીઝ વ્યંજનોની પાર્ટી કરી રહ્યા છે. તેનાથી બર્ડ ફ્લૂનો ખતરો વધી રહ્યો છે.
ખેડૂત આંદોલન પર ભાજપના ધારાસભ્યનો આરોપ
આંદોલનમાં ચિકન બિરયાની ખાવાથી વધી રહ્યો છે બર્ડ ફ્લૂનો ખતરો
રાજસ્થાનના ધારાસભ્ય મદન દિલાવરે લગાવ્યો છે આરોપ
Protesting farmers conspiring to spread bird flu by consuming chicken biryani: BJP MLA
દિલ્હી બોર્ડર પર ચાલી રહેલા ખેડૂત આંદોલનની વચ્ચે રાજસ્થાનના ભાજપના નેતા અને ધારાસભ્ય મદન દિલાવરે વિવાદિત નિવેદન આપ્યું છે. તેઓએ કહ્યું કે ખેડૂત આંદોલનમાં ચિકન બિરયાની ખાઈને બર્ડ ફ્લૂ ફેલાવવાનું ષડયંત્ર રચાઈ રહ્યું છે. દિલાવરે કહ્યં કે કેન્દ્ર સરકાર તરત જ આ માટે એકત્રિત થયેલા ખેડૂતો સામે એક્શન લે જેથી અન્ય દેશવાસીઓને બર્ડ ફ્લૂથી બચાવી શકાય.
There may be terrorists, robbers and thieves among them and they may also be enemies of farmers. All these people want to ruin the country. If govt doesn't remove them from the agitation sites, then bird flu can become a big problem: Rajasthan BJP MLA Madan Dilawar (09.01.2021) https://t.co/WneJvgMRzB
ભાજપ ધારાસભ્યનો આરોપ છે કે ખેડૂતો આંદોલનમાં બેસીને રોડ ચિકન બિરયાની, ડ્રાય ફ્રૂટ અને સાથે અન્ય લઝીઝ વ્યંજનોની પાર્ટી કરી રહ્યા છે. તેનાથી બર્ડ ફ્લૂનો ખતરો પણ વધી રહ્યો છે. આ સાથે કહેવાતા ખેડૂતોને દેશની ચિંતા નથી. આ આંદોલન નહીં પણ પિકનિક બની રહ્યું છે.
ભાજપ ધારાસભ્યની વિવાદિત ટિપ્પણી
એટલું જ નહીં દિલાવરે કહ્યું કે ખેડૂત આંદોલનમાં આતંકવાદીઓ હોવાની શંકા પણ વ્યક્ત કરાઈ છે. તેઓએ કહ્યું કે તેમની વચ્ચે આતંકવાદી, લૂંટારા અને ચોર પણ હોઈ શકે છે અને તેઓ ખેડૂતોના દુશ્મન પણ હોઈ શકે છે. આ લોકો દેશને બર્બાદ કરવા ઈચ્છે છે. જો સરકાર તેમને આંદોલનના સ્થળેથી હટાવતી નથી તો બર્ડ ફ્લૂની મોટા સમસ્યા આવી શકે છે.
ઉલ્લેખનીય છે કે દિલ્હી બોર્ડર પર કડકડતી ઠંડીમાં એક મહિનાથી વધારે સમયથી ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. આ સમયે તેઓ કૃષિ કાયદાને પરત લેવાની માંગ કરી રહ્યા છે અને સાથે જ સરકાર અને ખેડૂતો વચ્ચે અનેક વખતની વાતચીત પણ થઈ ચૂકી છે. પરંતુ સાથે જ ભાજપ નેતાના આ વિવાદિત નિવેદનથી રાજકારણ ગરમાયું છે.