રાજસ્થાન ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ મદન લાલ સૈનીનું દેહાવસાન થયું છે. તેઓ રાજ્યસભાના સભ્ય હતા. રાજ્યસભાના સાંસદ મદન મદદ લાલ સૈનીનું નિધન થતા રાજ્યસભાની મંગળવારની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી છે.
છેલ્લા કેટલાક દિવસોથી તબિયત હતી નાદુરસ્ત
મદન લાલ સૈનીની છેલ્લા કેટલાક દિવસોથી તબિયત નાદુરસ્ત હતી. તેમને દિલ્હી સ્થિત એઇમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમનું નિધન થતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
Shocked and saddened to hear about the passing away of Sh. Madan Lal Saini ji, President of BJP #Rajasthan. My thoughts and prayers are with his family members. May God give them strength to bear this loss.
May his soul rest in peace.
અશોક ગેહલોતે વ્યક્ત કર્યું દુ:ખ
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે સૈનીના દેહાવસાન પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે ટ્વીટ કરીને સૈનીને શ્રધ્ધાસુમન અર્પિત કર્યા હતા.
Shocked and saddened to hear about the passing away of Sh. Madan Lal Saini ji, President of BJP #Rajasthan. My thoughts and prayers are with his family members. May God give them strength to bear this loss.
May his soul rest in peace.
કોણ હતા મદન લાલ સૈની
મદન લાલ સૈની ઝુંઝનુંના ગુઠા વિધાનસભાના ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. સૈની જનસંઘ સમયથી રાજનીતિમાં સક્રિય રહ્યા છે. આ પહેલા તેઓ ભાજપના પ્રદેશ મહામંત્રી, અનુશાસન સમિતિના પ્રદેશ અધ્યક્ષ પણ રહ્યા છે. ભાજપની અનુશાસન સમિતિનું કામ પણ સૈની સંભાળી ચૂક્યા છે.