કોંગ્રેસ બાદ હવે ભાજપે રિસોર્ટ પોલિટિક્સ શરૂ કરી છે. રાજસ્થાન ભાજપના છ જેટલા ધારાસભ્યોને ગુજરાત મોકલવામાં આવ્યા છે. આ તમામ ધારાસભ્યો 12મી ઓગસ્ટ સુધી સોમનાથમાં રોકાણ કરશે. ધારાસભ્યોને સોમનાથની સાગરદર્શન હોટેલમાં રાખવામાં આવશે. 14મી ઓગસ્ટે રાજસ્થાનનું વિધાનસભા સત્ર યોજાવાનું છે. ત્યારે આ સત્ર સુધી તમામ ધારાસભ્યો ગુજરાતમાં રહેશે. ત્યારે હવે ભાજપના ધારાસભ્યોએ VTV સાથેના વાતચીતમાં ચોંકાવનારો ખુલાસો કર્યો છે.
રાજસ્થાનમાં સત્તા સંકટનો મામલો
ભાજપના 6 ધારાસભ્યોને ગુજરાત લવાયા
12મી ઓગસ્ટ સુધી સોમનાથમાં રોકાશે
રાજસ્થાનના ધારાસભ્યોને ગુજરાતમાં લાવવામાં આવ્યા છે. ત્યારે એવું ચર્ચાઇ રહ્યું છે કે, ધારાસભ્યોના બળવાખોરીના ડરથી સોમનાથ મોકલાયા છે. ગુજરાત આવેલા ભાજપના ધારાસભ્યોએ ગેહલોત સરકાર પર આક્ષેપ કર્યા છે. VTV સાથેની વાતમાં ભાજપના ધારાસભ્યોએ ચોંકાવનારૂ નિવેદન આપ્યું છે.
રાજસ્થાનના ભાજપના ધારાસભ્ય ધર્મેન્દ્ર શર્માએ ચોંકાવનારો ખુલાસો VTV સાથેની વાતમાં કર્યો હતો. શર્માએ જણાવ્યુ હતું કે રાજસ્થાનમાં કોંગ્રેસમાં જૂથવાદ છે. અમે સોમનાથ મંદિરના દર્શન કરવા આવ્યા છીએ. કોંગ્રેસમાં એકબીજા સામ-સામે લડી રહ્યાં છે. રાજસ્થાનમાં ભાજપ માત્ર સ્થિતી જોઇ રહ્યું છે.
રાજસ્થાનના ધારાસભ્ય નિર્મલ કુમાવતે પણ VTV સાથે વાત કરી હતી. આ અંગે તેમણે જણાવ્યુ હતું કે ગેહલોત સરકારની માનસિક યાતનાથી થાકી ગયા છીએ. અમે વસુંધરા જૂથના ધારાસભ્ય નથી, અમે ભાજપના ધારાસભ્ય છીએે. રાજસ્થાનના 6 ધારાસભ્યો 12મી ઓગસ્ટ સુધી સોમનાથમાં રહેશે.