રાજસ્થાનના રાજકારણમાં લાગેલૂ લૂણો ગુજરાત પહોંચ્યો છે. સચિન પાયલટ ગૃપના અને ભાજપના ધારાસભ્યો ગુજરાત લવાયા છે ત્યારે જાણો ભાજપના કયા કયા ધારાસભ્યોને ગુજરાત લવાયા છે. આ રહી યાદી
રાજસ્થાન ભાજપના ધારાસભ્યો ગુજરાત ખસેડાશે
બે તબક્કામાં કુલ 14 ધારાસભ્યો ગુજરાત રવાના
પહેલા તબક્કામાં 10 જયારે બીજા તબક્કામાં 4 ધારાસભ્યો આવશે
રાજસ્થાનમાં સત્તા સંકટનો મામલે કોંગ્રેસ અને ભાજપ બંનેના ધારાસભ્યો ગુજરાતની શરણે આવ્યા છે. ત્યારે ભાજપના 14 ધારાસભ્યોને ગુજરાત ખસેડાઈ રહ્યા છે. જયપુરથી ખાસ પ્લેન મારફત પોરબંદર પહોચશે. સાસણ અને જુનાગઢમા રિસોર્ટમાં ખસેડાય તેવી શક્યતા પણ છે. 14મી તારીખથી રાજનસ્થાન વિધાનસભાનુ સત્ર શરૂ થઈ રહ્યુ છે. અમદાવાદના કેન્સવિલા રિસોર્ટમાં હોવાનું જાણવા મળ્યું હતુ.
રાજસ્થાન ભાજપના ધારાસભ્યો સાચવવા કવાયત શરૂ થઇ ગઇ છે. રાજસ્થાન ભાજપના 14 ધારાસભ્યો ગુજરાતમાં લવાયાની માહિતી મળી રહી છે. અને આ ધારાસભ્યોને અમદાવાદ લવાયા હોવાની પણ શક્યતા છે. અમદાવાદના કોઇ રિસોર્ટમાં ધારાસભ્યોને રખાયા છે. ઝાલોર, ઉદેપુર, સિરોહી, ડુંગરપુર અને બાંસવાડાના ધારાસભ્યો ગુજરાતમાં છે. ધારાસભ્યોને રખાયા હોવાનું પણ જાણવા મળી રહ્યુ છે.