મુખ્યમંત્રી અશોક ગહલોતની અધ્યક્ષતામાં થયેલી કેબિનેટ બેઠકમાં અનુકંપા નિયુક્તિનો દાયરો વધારી દેવામાં આવ્યો છે.
સરકારી કર્મચારીઓને ગહલોત સરકારની ભેટ
પરિવારને મળશે આ યોજનાનો લાભ
જાણો તેના વિશે
રાજસ્થાનના સરકારી કર્મચારીઓને અશોક ગહલોત સરકારે મોટી રાહત આપી છે. હવે સરકારી કર્મચારીઓના નિધન બાદ તેમની છુટાછેડા આપેલી દિકરીઓ અને અવિવાહિત રાજ્ય કર્મચારીઓના નિધન થવા પર તેમના માતા, પિતા, અવિવાહિત ભાઈ-બહેન અથવા કોઈ પણ અશ્રિત નહીં થવા પર તેમના વિવાહિત બહેનને પણ અનુકંપા પર નિયુક્તિ મળી શકશે.
મુખ્યમંત્રી અશોક ગહલોતની અધ્યક્ષતામાં થયેલી બેઠકમાં અનુકંપી નિયુક્તિનો દાયરો વધારી દેવામાં આવ્યો છે. કેબિનેટે અનુકમ્પાત્મક નિયુક્તિ નિયમ 1996માં સંશોધન મંજૂર કર્યું છે. હાલના નિયમોમાં ફક્ત આશ્રિતોમાં પતિ-પત્ની, પુત્ર, અવિવાહિત અથવા વિધવા પુત્રી, દત્તક પુત્ર અથવા દત્તક અવિવાહિત પુત્રીને જ પાત્ર માનવામાં આવતા હતા.
કોર્ટે કેસ જાહેર થવા પર રિટાયર્ડ કર્મચારીને 50 ટકા ગ્રેચ્યુટી
કેબિનેટે નિર્ણય કર્યો છે કે હવે કોર્ટ કેસ જાહેર થવા પર પણ રિટાયર્ડ કર્માચારીઓને 50 ટકા ગ્રેચ્યુટી આવામાં આવશે. તેના માટે પેન્શન વિભાગમાં સર્વિસ બુક મોકલવાની જરૂર નહીં રહે. રાજ્ય કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેના માટે સરકારે રાજસ્થાન સિવિલ સેવા પેન્શન નિયમ 1996ના નિયમોમાં પણ સંશોધનને મંજૂરા આપી દીધી છે.
કેબિનેટમાં રાજસ્થાન સિવિલ સેવા અંશદાયી પેન્શન નિયમ 2005એ પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલોપમેન્ટ ઓથોરિટી એક્ટ 2013ના દાયરામાં લાવવા માટે નોટિફિકેશન જાહેર કરવાની મંજૂરી આપી છે. તેમાં દરેક સરકારી કર્મચારીઓ જેના પર નવી પેન્શન યોજના લાગુ છે તેમને પીએફઆરડીએક્ટ 2013નો ફાયદો મળી શકશે.