રાજસ્થાનમાં રાજકીય ડ્રામાના ક્લાઈમેક્સનો સમય આવી ગયો છે. આજે રાજસ્થાનમાં વિધાનસભાનું સત્ર શરુ થઈ ગયું છે. શરુઆતમાં મુખ્યમંત્રી અશોક ગહેલોતે વિધાનસભામાં વિશ્વાસના મતનો પ્રસ્તાવ રજુ કર્યો હતો. સત્ર પહેલા ધારાસભ્યોએ વ્હિપ જાહેર કર્યું હતું. ભાજપે અવિશ્વાસના મતની તૈયારીમાં હતુ પણ ગહેલોતે પહેલા જ ચાલ ચાલી લીધી. અશોક ગહેલોતે દાવો કર્યો કે તેમની સરકાર સરળતાથી બહુમતિ સાબિત કરી શકે છે.
સત્ર પહેલા ધારાસભ્યોએ વ્હિપ જાહેર કર્યું હતુ
ગહેલોતે વિધાનસભામાં વિશ્વાસના મતનો પ્રસ્તાવ રજુ કર્યો
ભાજપે અવિશ્વાસના મતની તૈયારીમાં હતુ પણ...
ભાજપના નેતાઓએ વિશ્વાસ મતના પ્રસ્તાવની રજૂઆત થતા જ હંગામો કર્યો હતો. સંસદીય કાર્ય મંત્રી શાંતિ ધારીવાલે વિધાનસભામાં બોલી રહ્યા હતા ત્યારે જ મદન દિલાવરે હંગામો શરુ કરી દીદો હતો. સ્પીકર સીપી જોશીએ મદન દિલાવર અને બાકીના ધારાસભ્યોને ચેતવણી આપી હતી.
શાંતિ ધારીવાલે ભાજપના નેતાઓને કહ્યું કે અમિત શાહ તમને માફ નહીં કરે તે જવાબ માંગશે. તેમણે કહ્યું કે જે રીતે મહારાણા પ્રતાપે વિરોધિયોને હરાવ્યા તે જ રીતે અશોક ગહેલોતે હરાવ્યા. રાજસ્થાનમાં ન કોઈ શાહની ચાલી, ન કોઈ તાનાશાહનું ચાલ્યું.
રાજસ્થાન વિધાનસભામાં કુલ 200 સીટો છે એટલે કે બહુમતી માટે 101 આંકડા જોઈએ. પરંતુ કોંગ્રેસમાં છેલ્લા કેટલાક દિવસથી વિખવાદ ચાલી રહ્યો હોવાથી આ આંકડા મુશ્કેલ લાગી રહ્યા છે. જોકે હાલ બન્ને એક સાથે થઈ ગયા હોઈ કોંગ્રેસમાં 107 ભેળવીને કુલ 125 ધારાસભ્યોનું સમર્થન છે. જ્યારે ભાજપ પાસે 75 ધારાસભ્યોનું સમર્થન છે.
સવારે 11.05 વાગે સત્ર શરુ થવાનું હોવાથી તમામ ધારાસભ્યો વિધાનસભા પહોંચી ગયા હતા. અશોક ગહેલોતના સમર્થકો બસમાં આવ્યા તો સચિન પાયલટના સમર્થકો પોતાની કારમાં આવ્યા હતા. સત્ર શરુ થયુ અને અશોક ગહેલોતે લખ્યું કે સત્યની જીત થશે. સત્રની શરુઆતમાં ચીન બોર્ડર પર શહીદ જવાનોને શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી.
સત્ર દરમિયાન કોંગ્રેસ દ્વારા વિશ્વાસનો મત રજુ કરવામાં આવતા સદનની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી. કોંગ્રેસના નેતા કૃષ્ણા પુનિયાએ કહ્યું કે વરસાદને કારણે ધારાસભ્યોને સત્રમાં આવવામાં મોડું થઈ રહ્યું છે. દરેક સાવધાની વર્તી રહ્યું છે. અમે એક મહિનો હોટલમાં હતા પણ આઝાદ હતા.
રાજસ્થાન વિધાનસભામાં કુલ 200 સીટો છે એટલે કે બહુમતી માટે 101 આંકડા જોઈએ. પરંતુ કોંગ્રેસમાં છેલ્લા કેટલાક દિવસથી વિખવાદ ચાલી રહ્યો હોવાથી આ આંકડા મુશ્કેલ લાગી રહ્યા છે. જોકે હાલ બન્ને એક સાથે થઈ ગયા હોઈ કોંગ્રેસમાં 107 ભેળવીને કુલ 125 ધારાસભ્યોનું સમર્થન છે. જ્યારે ભાજપ પાસે 75 ધારાસભ્યોનું સમર્થન છે.