સંશોધિત નાગરિકતા કાયદો (CAA) ની વિરુદ્ધ દેશભરમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે. કેરળ અને પંજાબ સરકાર CAA વિરુદ્ધ વિધાનસભામાં પ્રસ્તાવ પસાર કરાવી ચૂક્યા છે. હવે આ લિસ્ટમાં વધુ એક રાજ્ય રાજસ્થાનનું નામ પણ જોડાઇ ગયું છે. રાજસ્થાન સરકારે પણ સંશોધિત નાગરિકતા કાયદાની વિરુદ્ધ વિધાનસભામાં પ્રસ્તાવ પાસ કરી દીધો છે.
સંશોધિત નાગરિકતા કાયદો (CAA) ની વિરુદ્ધ દેશભરમાં વિરોધ પ્રદર્શન
શનિવારે રાજ્ય સરકારે સીએએ (CAA) કાયદાની વિરુદ્ધ પ્રસ્તાવ રાખ્યો હતો
કેરળ અને પંજાબ સરકાર CAA વિરુદ્ધ વિધાનસભામાં પ્રસ્તાવ પસાર કરાવી ચૂક્યા છે
રાજસ્થાન વિધાનસભામાં પ્રસ્તાવ પસાર કરવા દરમિયાન બીજેપી ધારાસભ્યોએ વિધાનસભામાં નારેબાજી કરી. રાજસ્થાન સરકારના મુખ્યમંત્રી અશોક ગેહલોત (CM Ashok Gehlot) એ કહ્યું કે તેમની સરકાર કેન્દ્રના નાગરિકતા કાયદો (CAA) નો વિરોધ કરે છે. આ દિશામાં વિધાનસભામાં આજે શનિવારે રાજ્ય સરકારે સીએએ (CAA) કાયદાની વિરુદ્ધ પ્રસ્તાવ રાખ્યો, જેને પાસ કરી દેવાયો છે.
કેરળ અને પંજાબ સરકાર પણ CAA વિરુદ્ધ પ્રસ્તાવ પાસ કરી ચૂકી છે
નોંધનીય છે કે, કેરળ અને પંજાબ સરકાર પણ નાગરિકતા કાયદાની વિરુદ્ધ વિધાનસભામાં પ્રસ્તાવ પસાર કરી ચૂકી છે. આટલું જ નહીં, કેરળ સરકાર આ કાયદાની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં પણ ગઇ છે. જોકે, કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને રાજ્ય સરકાર દ્વારા પ્રસ્તાવ પાસ કરાવવાને ગેરબંધારણીય બતાવ્યું હતું.
બિલ પાછુ લેવા માંગ
નોંધનીય છે કે, મોદી સરકારે શિયાળુ સત્રમાં સંસદમાં નાગરિકતા સંશોધન બિલ રજૂ કર્યું હતું. સરકારે પહેલા લોકસભા અને બાદમાં રાજ્યસભામાં તેને પસાર કરાવી લીધું હતું. અને રાષ્ટ્રપતિના હસ્તાક્ષર બાદ કાયદાને સંશોધન રુપે લાગૂ કરી દીધો હતો. આ કાયદાને લઇને આખા દેશભરમાં વિરોધ પ્રદર્શન થઇ રહ્યા છે. એ સમયે આસામ અને મણિપુરમાં લોકો રસ્તા પર નીકળ્યા અને કેન્દ્ર સરકારને આ બિલ પાછુ લેવા માંગ કરી હતી.
શાહીન બાગમાં એક મહિનાથી વિરોધ પ્રદર્શન
દિલ્હીમાં શાહીન બાગ (Shaheen Bagh) માં એક મહિના કરતા વધારે સમયથી નાગરિકતા કાયદો (CAA) ની વિરુદ્ધ મહિલાઓનું પ્રદર્શન ચાલી રહ્યું છે. દિલ્હી ઉપરાંત દેશના ઘણા રાજ્યોમાં તમામ ધર્મોના લોકો CAAનો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.