લોકગાયક સ્વ. મણિરાજ બારોટની દીકરી રાજલ બારોટે આજે તેની બે બહેનોના લગ્ન કરાવ્યા છે અને પોતે જ કન્યાદાન પણ કર્યું છે.
બહેનો માટે રાજલ બારોટ બની પિતા
મણિરાજ બારોટની પુત્રી છે રાજલ
મોટી બહેનનું પણ કર્યુ હતુ કન્યાદાન
મોટા કલાકારો રહ્યાં હાજર
રાજલ બારોટે ગાંધીનગર ખાતે બંને બહેનોના લગ્ન કરાવ્યા હતા અને તેણે કન્યાદાન કરીને સમાજમાં એક દાખલો બેસાડ્યો હતો. આ પ્રસંગમાં તે ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી હતી. બંને બહેનોના લગ્નમાં જીજ્ઞેશ કવિરાજથી લઇને માયાભાઇ આહીર, ઉર્વશી રાદડિયા જેવા કલાકાર હાજર રહ્યાં હતા.
પિતાના અવસાન બાદ તકલીફો
મણિરાજ બારોટ અને તેના પત્નીના અવસાન બાદ તેમની ચારેય દીકરીઓ એકલી પડી ગઇ હતી. ચાર બહેનોને મોટી કરવી તેના માટે રાજલે કમર કસી અને લોક ગાયક બની ગઇ હતી. ચારે બહેનોને મોટી કરી અને કન્યાદાન કરી ખુશી ખુશી પરણાવી હતી.
એકબીજાને બાંધે છે રાખડી
ભાઇ ન હોવાને કારણે ચારેય બહેનો એકબીજાને રાખડી બાંધે છે અને હંમેશા એકબીજાનો સાથ આપવાનું વચન આપે છે. ગમે તેવી સિચ્યુએશનમાં એકબીજાનો સાથ ક્યારેય નહી છોડીએ તેવી પ્રાર્થના કરે છે.
કોણ છે લોક ગાયિકા રાજલ
સ્વ. મણિરાજ બારોટની બીજી દીકરી એટલે રાજલ બારોટ. તેનો જન્મ પાટણમાં થયો હતો અને બાદમાં પિતાના પગલે તે લોકગાયિકા બની ગઇ. આજે રાજલ બારોટને કોઇ ઓળખાણની જરૂર નથી. આજે જો મણિરાજ બારોટ જીવતા હોત તો તેમની ખુશીનો પાર ન રહ્યો હોત.