કહેવત છે ને કે મોરના ઈંડા ચિતરવા ન પડે. હા... એ છે મણિરાજ બારોટના દીકરી રાજલ બારોટ. ત્યારે vtvgujarati.com દ્વારા એવી જ વ્યક્તિનું ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યું હતું. રાજલ બારોટે પોતાના જીવન અને સિંગીંગ, કરિયર વિશે વાતો કરી હતી.
આ Exclusive Interviewમાં તેમણે કેટલાક સવાલોના જવાબ આપ્યા હતા.
કેવી રીતે તમે સિંગર બન્યા?
- પપ્પાના ગીતો સાંભળીને જ બધુ શિખી છું.
મણિરાજ બારોટના નામથી તમને નામના મળી?
- હા, પપ્પાના નામ સાથે મારી મહેનત પણ મને આગળ લાવી.
હાલ તમે લોકો સુધી કેવી રીતે તમારા ગીતો પહોંચાડો છો?
- શરૂઆતમાં વધુ મહેનત લાગતી હતી. હવે સોશિયલ મીડિયાના માધ્યમથી સરળતા રહે છે.
તમારી સ્ટેજ પર ઓળખ શું છે?
મારા પપ્પા લાકડી ફેરવતા અને હું તલવાર ફેરવું છું, તો લોકો મને તલવારથી ઓળખે છે
તમને સૌથી વધુ ક્યા સોંગની ફરમાઇશ મળે?
મારા પપ્પાની છબી મારામાં લોકો જોવા માંગે છે, લોકો મારા પપ્પાના સોંગની ફરમાઇશ કરતા હોય છે. જેમકે મણિયારો...
લગ્નના શું વિચારો છે?
- હજુ સુધી મેં વિચાર્યું જ નથી. હાલ એ વિચારવાનો સમય જ નથી. મારા પપ્પા પછી ઘરની તમામ જવાબદારી મારા પર છે. તો હજી જવાબદારી પૂર્ણ કર્યા બાદ પછી વિચારીશ.
આગળ શું કરવાનું છે?
- હજુ તો શરૂઆત છે તેવું જ લાગે છે. આગળ તો હજુ ઘણું બધું કરવાનું છે.
બોલિવુડની ઓફર આવે તો?
બોલિવુડનું કોઇ સપનું નથી. પરંતુ ઓફર આવે તો ચોક્કસથી કરીશ.
એક વસ્તુ જે તમારા વિશે કોઇ નથી જાણતું?
- એવું તો કંઇ નથી. પરંતુ હું લોકોને કહું છું કે માતા-પિતા જેમની પાસે હોય છે તે લોકો નસીબદાર હોય છે. ત્યારે માતા-પિતા નથી તો દુઃખ થાય છે. મારા માતા-પિતાના ફોટો પાસે જઇને તમામ પ્રશ્નો કરૂ છું. અને કોઇ વખત રડી લઉં છું.