યુપીના કુખ્યાત માફિયા અને હાલના ધારાસભ્ય રઘુરાજ પ્રતાપ એટલે કે રાજા ભૈયા સામે કાર્યવાહી કરઈ છે. રાજા ભૈયા સામે 605 પ્રતાપગઢના તંત્રએ કાર્યવાહી કરી છે. રાજા ભૈયાને તેમના વિસ્તારની લોકસભા ચૂંટણી દરમિયાન નજર કેદ રાખવામાં આવશે. આ દરમિયાન તે ફક્ત મત આપવા માટે પોલિંગ બૂથ સુધી જઈ શકશે. બાકી તેમને નજર કેદ રાખવામાં આવશે.
યુપીના કુંડાના ધારાસભ્ય રાજા ભૈયાને નજરકેદ રાખવાની કાર્યવાહી કરાઈ છે. 6 મેના રોજ પ્રતાપગઢમાં યોજાનારી લોકસભા ચૂંટણીના પાંચમાં તબક્કાના મતદાન માટે આ કાર્યવાહી કરાઈ છે. રાજા ભૈયાની છાપ એક બાહુબલી નેતાની છે. રાજા ભૈયા સહિત 8 લોકોને નજરકેદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજા ભૈયા સાથે બાબાગંજ ધારાસભ્ય વિનોદ સરોજ, સપા નેતા ગુલશન યાદવ , સપા જિલ્લાધ્યક્ષ છવિનાથ યાદવ પર પણ કાર્યવાહી કરાઈ છે.
આ તમામ નેતાઓ ફક્ત મતદાન કરવા માટે પોલિંગ બૂથ સુધી જઈ શકશે. રાજાભૈયા સહિત કુંડાના આઠ લોકોને અશાંતિ ફેલાવવાની શંકાઓને આધારે આ નિર્ણય લેવાયો છે. કૌસંબી લોકસભા બેઠક પર 6મેના રોજ મતદાન યોજાશે.
8 નેતાઓને નજરકેદ
આ લોકસભા વિસ્તારમાં પ્રતાપગઢની બે વિધાનસભા બેઠકો બાબાગંજ અને કુંડા આવે છે. કુંડાથી રાજા ભૈયા ધારાસભ્ય છે અને અહીં તેમનો ખાસ પ્રભાવ છે. રાજા ભૈયાએ આ વખતે શૈલેન્દ્ર કુમારને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.
સૌથી નાની વયે ધારાસભ્ય અને મંત્રી બનવાનો રેકોર્ડ
રાજા ભૈયાના નામે ઉત્તરપ્રદેશમાં સૌથી નાની વયે ધારાસભ્ય અને મંત્રી બનવાનો રેકોર્ડ છે. રાજા ભૈયા એકસમયે સમાજવાદી પાર્ટીના સૌથી ખાસ ગણાતા હતા. જો કે, માયાવતી મુખ્યમંત્રી બન્યા બાદ સપા પર તવાઈ આવી હતી. જેનાથી રાજા ભૈયાએ સપા સાથે છેડો ફાડ્યો હતો.
તેના પર એક IPS અધિકારીની હત્યાનો આરોપ છે.એક સભામાં સપા પ્રમુખ અખિલેશ યાદવે કહ્યું કે, સપાના દરવાજા હવે રાજા ભૈયા માટે હંમેશા માટે બંધ કરાયા છે. ગત વર્ષે રાજ્યસભાની ચૂંટણીમાં સપાના કહેવાથી રાજા ભૈયા બસપાના ઉમેદવારને મત આપશે એવી ધારણા હતી. જો કે રાજા ભૈયાએ ભાજપના ઈશારે મતદાન કરતાં અખિલેશ સાથે સંબંધો બગડ્યા હતા.