મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ પયગંબર મોહમ્મદ પર ટિપ્પણી મામલે સસ્પેન્ડ કરાયેલા ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા નુપૂર શર્માનું સમર્થન કર્યું હતું.
રાજ ઠાકરેએ નૂપુર શર્માનું સમર્થન કર્યું
પયગંબર વિવાદ પર ઝાકીર નાઈકને માફી નહીં માગવા પર સવાલો કર્યા
રાજ ઠાકરેએ ઓવૈસી બંધૂઓ પર પણ સવાલો ઊભા કર્યા
મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરે ફરીથી એક્ટિવ થયા છે. તેમણે મંગળવારે એક કાર્યક્રમમાં પયગંબર મોહમ્મદ પર ટિપ્પણી મામલે સસ્પેન્ડ કરાયેલા ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા નુપૂર શર્માનું સમર્થન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, ઓવૈસી બંધૂ આપણા દેવી દેવતાઓ વિશે શું શું બોલે છે, તેમને કોઈ કંઈ કહેતુ નથી.
તેમણે મનસે પદાધિકારીઓની બેઠકમાં કહ્યું કે, વિવાદીત ઈસ્લામિક ઉપદેશક ઝાકિર નાઈકે આ વાત પહેલા કહી હતી, પણ કોઈએ તેમની માફીની માગ ન કરી. રાજ ઠાકરેએ કહ્યું કે, કોઈ પણ નાઈક પાસે માફી મગાવશે નહીં. તેમણે હિન્દુ દેવી દેવતાઓના નામનો કથિત ઉપહાસ કરવા પર ઓવૈસી બંધૂઓને પણ આડે હાથ લીધા હતા. મનસે અધ્યક્ષે એવૌસી બંધૂઓનો ઉલ્લેખ આપત્તિજનક શબ્દ સાથે કરતા કહ્યું કે, તેમના વિરુદ્ધ કોઈ કાર્યવાહી ન કરવામાં આવી.
#WATCH | Those two Owaisi brothers...one of them speaks about our (Hindu) gods... 'And what was his last sentence? 'What wretched names they have for their gods' Are the names of our Gods wretched?... nobody is going to ask him to apologize for this"
રાજ ઠાકરેએ પોતાના ભાઈ અને પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પર કટાક્ષ કર્યો હતો. ઉદ્ધવે દાવો કર્યો હતો કે, ભાજપે 2019માં મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં અઢી અઢી વર્ષ સુધી મુખ્યમંત્રી પદ વહેંચાવાનું વચન આપ્યું હતું. તેના પર રાજ ઠાકરેએ કહ્યું કે્, જ્યારે હું શિવસેનામાં હતો, બાલાસાહેબે નિર્ણય કર્યો હતો કે, મુખ્યમંત્રી પદ માટે પાર્ટીને વધારે ધારાસભ્યો જોઈએ.
તેમણે કહ્યું હતું કે, ચૂંટણી પ્રચાર દરમિયાન પ્રધાનમંત્રી મોદી અને ગૃહમંત્રી અમિત શાહે સાર્વજનિક રીતે કહ્યું હતું કે, દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી હશે. ત્યારે આપે વાંધો કેમ ન ઉઠાવ્યો. તેની જગ્યાએ ચૂંટણી પરિણામની રાહ જોતા રહ્યા અને જનસમર્થનની વિરુદ્ધ ગયા જે ભાજપ શિવસેનાને મળ્યું હતું.