મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરેને કોંગ્રેસ-એનસીપી ગઠબંધનના સ્ટાર પ્રચારક બનાવી દીધા છે. ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણીમાં એમએનએસનો કોઇ ઉમેદવાર મેદાનમાં નથી. એટલું જ નહીં પણ મનસેનો કોઇપણ ધારાસભ્ય વિધાનસભામાં પણ નથી.
એવું કહેવામાં આવે છે કે રાજકારણ સંભાવનાઓની રમત છે. શુક્રવારે આ વાત ફરી એકવાર સત્ય સાબિત થઇ છે. જેમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરેને કોંગ્રેસ-એનસીપી ગઠબંધનના સ્ટાર પ્રચારક બનાવી દીધા છે. ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણીમાં એમએનએસનો કોઇ ઉમેદવાર મેદાનમાં નથી.
એટલું જ નહીં પણ મનસેનો કોઇપણ ધારાસભ્ય વિધાનસભામાં પણ નથી. બીએમસીમાં તેમનો એક કોર્પોરેટર છે. તેમ છતાં કોંગ્રેસ અને એનસીપીએ મુંબઇ અને રાજ્યના અનેક કેટલાંક સ્થળો પર ચૂંટણી પ્રચાર માટે રાજ ઠાકેરનું નામ સામેલ કર્યું છે.
રાજ ઠાકરે આને એક તક તરીકે જોઇ રહ્યાં છે. રાજ ઠાકરે પ્રયત્ન કરી રહ્યાં છે કે આ વર્ષે યોજાનારા વિધાનસભાની ચૂંટણી અગાઉ પક્ષને જનતા સુધી લઇ જવાય. જ્યારે બીજી તરફ કોંગ્રેસ-એનસીપી રાજ ઠાકરેનો ઉપયોગ શિવસેનાના મત કાપવા માટે કરવા ઇચ્છે છે.
એટલું જ નહીં કોંગ્રેસ-એનસીપી લાંબા સમય સુધી MNSને જનતા સુધી લઇ જવા ઇચ્છે છે, જેના કારણે શિવસેના અને ભાજપને હાર આપવા રાજ ઠાકરેનો ઉપયોગ કરી શકાય. આ સમીકરણને ધ્યાનમાં રાખતા રાજ ઠાકરનું રાજકીય લેવલ ફરી ચર્ચામાં આવ્યું છે.
રાજ ઠાકરે દક્ષિણ મુંબઇમાં મિલિન્દ દેવડા માટે રેલીને સંબોધન કરે તેવી સંભાવના છે. જ્યારે નોર્થ-સેન્ટ્રલ મુંબઇમાં પ્રિયા દત્ત, નોર્થ મુંબઇમાં ઉર્મિલા માતોંડકર અને નોર્થ-ઇસ્ટ મુંબઇમાં સંજય દીના પાટીલના સમર્થનમાં પ્રચાર કરશે. જો કે બીજી તરફ રાજ ઠાકરે નોર્થ વેસ્ટ મુંબઇમાં પ્રચાર નહીં કરે જ્યાંથી સંજય નિરૂપમ ચૂંટણી લડી રહ્યાં છે.