મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરેએ આજે એક ભડકાઉ નિવેદ આપ્યું હતું. તેમણે કહ્યું કે, જે લોકો આ સમયે મરકજ જેવા સમારોહમાં ભાગ લઇ રહ્યા છે તેમને ગોળી મારવી જોઇએ. રાજ ઠાકરેએ કહ્યું કે, મરકજમાં શામેલ થયેલા લોકોનો ઇલાજ કેમ કરવામાં આવી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, શુક્રવારે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરતા તેમણે કહ્યું કે કોઇને લાગે છે કે, આ સંકટથી મોટો ધર્મ છે અને આ બીમારીને ફેલાવવાનું ષડયંત્ર રહ્યું છે તે તેમને માર મારવો જોઇએ અને તેનો વીડિયો વાયરલ કરવો જોઇએ.
લોકડાઉનને ગંભીરતાથી લેવાની કરી અપીલ
રાજ ઠાકરેએ કહ્યું કે, લોકડાઉનને ગંભીરતાથી લેવાની જરૂર છે. જો કોઇ આ બાબતને ગંભીરતાથી નથી લઇ રહ્યું તો લોકડાઉનનો સમયગાળો વધશે અને ઉદ્યોગો પર તેની ખરાબ અસર જોવા મળશે જેનાથી આર્થિક સંકટ ઉભું થશે.
તબલીગી જમાત વિરૂદ્ધ કેન્દ્ર સરકારે પણ લીધા પગલા
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે દેશની રાજધાની દિલ્હીના નિઝામુદ્દીન વિસ્તારમાં તબલીગી જમાત (Tablighi Jamaat) વિરુદ્ધ કડક એક્શન લીધું છે. ગૃહ મંત્રાલયે એક્શન લેતા તબલીગી જમાતમાં સામેલ 960 વિદેશીઓને બ્લેકલિસ્ટ કરી દેવાયા છે. જ્યારે તબલીગી જમાતથી સંબધિત ગતિવિધિઓમાં સામેલ હોવાનું સામે આવ્યા બાદ તેમના પ્રવાસન વિઝા પણ રદ્દ કરી દીધા છે.