શિવસેનાના સ્થાપક બાલા સાહેબ ઠાકરેના ભત્રીજા રાજ ઠાકરેની પાર્ટીએ હમણાં તેમની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ રેલીનું આયોજન કર્યું હતું. જે દરમિયાન રાજ ઠાકરેએ સભાને સંબોધિત કરી CAA વિષે લોકોને સમજાવ્યું હતું.
રાજ ઠાકરેએ મુંબઈમાં સભાને સંબોધિત કરી
રાજ ઠાકરે CAA વિષે લોકોને કહી વાત
મુસ્લિમો માટે નહી બિનભારતીયો માટે છે આ કાયદો
શક્તિ પ્રદશન વચ્ચે CAA વિરોધી મુસ્લિમો પર ભડક્યા રાજ ઠાકરે કહ્યું કોને તાકાત દેખાડવી છે?
રાજ ઠાકરેએ મુંબઈમાં એક કાર્યક્રમ દરમિયાન કહ્યું કે ભારતમાં CAA વિરોધ પ્રદશન થઈ રહ્યાં છે. જ્યારે રાજ ઠાકરેએ કહ્યું કે નાગરિકતા કાનૂન સંશોધન તે મુસ્લિમો માટે નથી જે ભારતમાં જન્મ્યા છે.
નાગરિકતા સંશોધન કાનૂન વિરોધ પ્રદશનો અને દિલ્લીના શાહિનબાગમાં થઈ રહેલા આંદોલન પર રાજ ઠાકરેએ કટાક્ષ કર્યો હતો. મુંબઈના આઝાદબાગ મેદાનમાં મહારષ્ટ્ર નવનિર્માણ સેનાની એક રેલી દરમિયાન રાજ ઠાકરેએ CAA વિરોધીઓ પર સવાલ ઉઠાવ્યા હતા. અને વધુમાં કહ્યું હતું કે મને સમજાતું નથી કે ભારતીય મુસલમાન નાગરિકતા સંશોધન કાનૂનનો શા માટે વિરોધ કરી રહ્યાં છે.
મુંબઈમાં પોતાની સભા દરમિયાન સંબોધિત કરતા કહ્યું કે મુસ્લિમો આવું શા માટે કરી રહય છે. જે ભારતીય મુસ્લિમો છે તે શા માટે નાગરિકતા સંશોધન કાનૂનનો વિરોધ કરી રહ્યાં છો. CAA મુસ્લિમો માટે નથી પરંતુ જે ભારતીયો નથી તેના માટે છે. તમે આટલો પાવર કોને બતાવવા માંગો છો ?