શિલ્પા શેટ્ટીએ સોશ્યલ મિડીયા પર રિએક્ટ કર્યુ અને લખ્યું કે, ઇન્દ્રધનુષ તે સાબિત કરે છે કે ભયાનક તોફાન બાદ વસ્તુઓ ખુબસુરત થઇ શકે છે.
શિલ્પા માટે મુશ્કેલ રહ્યો 2 મહિનાનો સમય
દરેક વ્યક્તિના જીવનમાં મુશ્કેલ સમય આવે છે અને તેમાં તે સકારાત્મક વલણ અપનાવી લે છે. આ સમયે છેલ્લા 2 મહિનાથી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાની પોર્નોગ્રાફીના કેસમાં ધરપકડ કરાઈ હતી. આ સમયે તેમને જેલમાં બંધ કરી દેવાયા. સાથે જ શમિતા શેટ્ટી પણ તેની સાથે ન હતી. તેણે એકલીએ પોતાને અને પરિવારને સંભાળ્યો.
ઉલ્લેખનીય છે કે રાજ કુન્દ્રાના જેલ ગયા બાદ શિલ્પા તૂટી ગઈ હતી. તેણે કામમાં પણ બ્રેક લીધો હતો અને સોશ્યલ મીડિયા પર પણ દૂરી બનાવી લીધી હતી. એક્ટ્રેસે પોતાની હિમત કાયમ રાખી અને સાથે કામ પર પરત પણ ફરી. સુપર ડાન્સરમાં જજ તરીકે પરત ફરવાની સાથે ફિલ્મ હંગામા 2 પણ થોડા સમય પહેલા જ રીલિઝ થઈ છે અને તેને સારા વ્યૂઝ મળ્યા છે.