211મી બટાલિયનના જવાનો સાથે જમ્મુ જઈ રહેલી સીઆરપીએફની સ્પેશ્યલ ટ્રેનમાં ધડાકો થયો હતો.
ગ્રેનેડ એક નકલી કારતૂસ બોક્સમાં રાખવામાં આવ્યું હોવાનું માલૂમ પડ્યું હતુ
ટ્રેનની બોગીમાં સમાન રાખતા જ ફાટ્યો હતો
છ જવાનો ઘાયલ થયા હતા જેમાં હવલદાર વિકાસ ચૌહાણ વધારે જ ઇજાગ્રસ્ત
રાયપુર એક ટ્રેનમાં બ્લાસ્ટ થયો
રાયપુર રેલવે સ્ટેશન પર ઉભેલી એક ટ્રેનમાં બ્લાસ્ટ થયો છે. આ બ્લાસ્ટમાં સીઆરપીએફના 6 જવાન ઘાયલ થયા છે. સવારે લગભગ સાડા 6 વાગે પ્લેટફોર્મ નંબર 2 પર ઘટના બની છે. જેમાંથી એક જવાન ગંભીર રુપથી ઘાયલ થયો છે. તેને સારવાર માટે રાયપુરના શ્રી નારાયણા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. પોલીસ પ્રશાસન દ્વારા અન્ય ઘાયલ જવાનોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે.
ડેટોનેટર ફાટવાથી બ્લાસ્ટ થયો છે
આ ઘટના બાદ રેલવે સ્ટેશન પર સુરક્ષા વધારી દીધી છે. કોઈ સામાન્ય માણસને કોઈ નુકસાન નથી થયું. મનાઈ રહ્યું છે કે ડેટોનેટર ફાટવાથી બ્લાસ્ટ થયો છે. પ્રાથમિક રીતે પોલીસ તથા સુરક્ષા દળોની ટીમ રાહત કાર્યમાં જોડાઈ છે.
छत्तीसगढ़: रायपुर पुलिस के अनुसार रायपुर रेलवे स्टेशन पर CRPF स्पेशल ट्रेन में इग्नाइटर सेट का बॉक्स फर्श पर गिरने से विस्फोट हो गया। इस विस्फोट में CRPF के चार जवान घायल हो गए।
રેલવે સ્ટેશનન પ્લેટફોર્મ નંબર 2 પર ઉભેલી ટ્રેનમાં સવારે સાડા 6 વાગે બ્લાસ્ટ થયો
મળતી માહિતી મુજબ રાયપુર રેલવે સ્ટેશનન પ્લેટફોર્મ નંબર 2 પર ઉભેલી ટ્રેનમાં સવારે સાડા 6 વાગે બ્લાસ્ટ થયો. સીઆરપીએફ 211મી બટાલિયનના જવાન સ્પેશિયલ ટ્રેનથી જઈ રહ્યા હતા. રાયપુર રેલવે પીઆરઓ શિવ પ્રસાદે બ્લાસ્ટની પુષ્ટિ કરી છે. ડમી કારતૂસ બોક્સમાં રાખવામાં આવ્યા હતા. સામાન ટ્રેનની બોગીમાં રાખતા જ ફાટ્યો હતો. ટ્રેન સીઆરપીએફ બટાલિયનના જવાન મોટી સંખ્યામાં હતા. આ દરમિયાન બાથરુમની પાસે રાખેલા ડેટોનેટર ફાટ્યુ હતુ. 6 જવાન તેની ઝપેટમાં આવ્યા હતા. બ્લાસ્ટ થયા બાદ થોડી વાર સુધી સ્ટેશનમાં અફરાતફરીનો માહોલ થઈ ગયો. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા. એ બાદ ટ્રેન સવારે લગભગ 7.15 વાગે રવાના કરાઈ હતી. આ દરમિયાન સીઆરપીએફના ડીઆઈજી પણ સ્ટેશન પર પહોંચ્યા હતા.
આ જવાનો ઘાયલ
શરુઆતની જાણકારી મુજબ ટ્રેનમાં થયેલા બ્લાસ્ટમાં સીઆરપીએમ જવાન ચવન વિકાસ લક્ષ્મણ, રમેશ લાલ, રવિન્દ્ર કર, સુશીલ અને દિનેશ કુમાર પૈકરા ઘાયલ થયા છે. જેમાંથી એક જવાન વિકાસ ગંભીર ઘાયલ છે. જેની સારવાર શ્રી નારાયણા હોસ્પિટલમાં દેવેન્દ્ર નગરમાં દાખલ કરાયો છે. મનાઈ રહ્યું છે કે બાકીના ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર અપાઈ છે. જે બાદ તેમની સ્થિતિ સારી છે. પોલીસે ઘાયલોનું નિવેદન નોંધયું છે. ઘટનાની તપાસ કરાઈ રહી છે. ડેટોનેટર કઈ પરિસ્થિતિમાં ફાટ્યુ તે જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. માહિતી બાદ પોલીસ તથા સીઆરપીએફના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા.