દિલ્હી-એનસીઆર (Delhi-NCR) માં સોમવારે સાંજે અને મોડી રાત્રે થયેલી હળવા વરસાદે એકવાર ફરી ઠંડીનું પ્રમાણ વધારી દીધું છે. હવામાન વિભાગ અનુસાર તેના પગલે તાપમાનમાં ઝડપી ઘટાડો નોંધવામાં આવી શકે છે.
આવનારા 24 કલાકમાં એકવાર ફરી દિલ્હી-એનસીઆરમાં વરસાદ પડવાની સંભાવના દર્શાવામાં આવી છે. તથા ફરી એકવાર કડકડતી ઠંડીથી રાજધાની રહેવાસીઓએ સામનો કરવો પડી શકે છે. જ્યારે જમ્મૂ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાં વાદળા છવાયેલા છે. જ્યારે કેટલાક પહાડી વિસ્તારોમાં બરફ વર્ષાએ એકવાર ફરી તાપમાનનો પારો નીચે લાવી દીધો છે.
હવામાન વૈજ્ઞાનિકોએ જાણકારી આપી કે દિલ્હી-એનસીઆર ક્ષેત્રમાં બે દિવસોથી વાદળ છવાયેલા છે અને લઘુત્તમ તાપમાનમાં થોડો વધારો જોવા મળ્યો પરંતુ આવનારા બે દિવસોમાં તેના ઓછા થવાની સંભાવના છે.
India Meteorological Department: Latest satellite image shows convective clouds over northwest India (J&K, HP, Uttarakhand and some parts of Punjab, Haryana, Rajasthan and Uttar Pradesh) pic.twitter.com/74u8fZljrA
દિલ્હીમાં સોમવારે લઘુત્તમ તાપમાન 19.1 ડિગ્રી સેલ્સિયલ રહ્યું, જે વર્ષના આ સમયગાળાનું સામાન્ય તાપમાન છે. જ્યારે શહેરનું તાપમાન લઘુત્તમ 9.9 ડિગ્રી સેલ્સિયલ રહ્યું જે સામાન્યથી ત્રણ ડિગ્રી વધારે છે.
જ્યારે ઉત્તર ભારતના ઘણા વિસ્તારોમાં સોમવારે 2020નો પહેલીવાર બરફ પડ્યો. શ્રીનગરમાં બરફ વર્ષા સાથે વરસાદને પગલે લઘુત્તમ તાપમાન શૂન્યથી નીચે ચાલ્યું ગયું. વરસાદને પગલે ભૂસ્ખલનથી જમ્મૂ શ્રીનગર રાજમાર્ગ પર 600થી વધારે ગાડીઓ ફસાઇ ગયી.