હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં તા. 28 અને 29 એમ બે દિવસ કમોસમી વરસાદ અંગે આગાહી કરવામાં આવી હતી. જે આગાહીને પગલે ગઈકાલે અમદાવાદ સહિત ગુજરાતના અનેક શહેરોમાં વરસાદી માહોલ જોવા મળ્યો
ઇન્ડિયન પ્રીમિયર લીગ 2023ની ફાઇનલ મેચ ગઈકાલે 28 મે ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાવાની હતી, પરંતુ સતત વરસાદના કારણે આ મેચ રમાઈ ન હતી, આઈપીએલની ફાઈનલ મેચમાં વરસાદ વિલન બન્યો હતો. અમદાવાદમાં ભારે વરસાદ કારણે આ મેચ રમાઈ શકી ન હતી, આ ફાઈનલ મેચ હવે આજે 29 મે રમાશે. IPL 2023નો ફાઈનલ મુકાબલો ગઈકાલે કેન્સલ કરવામાં આવ્યો હતો અને આજે 29 મેના રોજ આ મેચ ખેલાશે જ્યારે દર્શકોને ટિકિટ સાચવી રાખવા અપીલ કરાઇ હતી.ક્રિકેટ પ્રેમીઓની આશા પર પાણી ફેરવી દીધું હતું
The #Final of the #TATAIPL 2023 has been moved to the reserve day on 29th May - 7:30 PM IST at the Narendra Modi Stadium, Ahmedabad.
Physical tickets for today will be valid tomorrow. We request you to keep the tickets safe & intact. #CSKvGTpic.twitter.com/d3DrPVrIVD
હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં તા. 28 અને 29 એમ બે દિવસ કમોસમી વરસાદ અંગે આગાહી કરવામાં આવી હતી. જે આગાહીને પગલે ગઈકાલે અમદાવાદ સહિત ગુજરાતના અનેક શહેરોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ભાવનગર, ગાંધીનગર, અમદાવાદ, મહેસાણા સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો હતો.ભાવનગરના સિહોર પંથકમાં બપોર બાદ વાતાવરમાં પલ્ટો આવ્યો હતો અને તોફાની પાવનો વાતા મીની વાવાઝોડું ફૂંકાયું હોય તેવી સ્થિતિ સર્જાયો હતો. વધુમાં સિહોર, ટાણા, વરાલ પંથકમાં ભારે પવન સાથે મીની વાવાઝોડું ત્રાટક્યું હોય તેવી સ્થિતિ જોવા મળી હતી. પરિણામે અનેક વૃક્ષો ધરાશયી થયા હતા. વરસાદ પણ વેરી બનતા ખેડૂતો વાવાઝોડાને લઇને ચિંતિત બન્યા હતા. હવામાન વિભાગની કમોસમી વરસાદ અંગેની આગાહીને પગલે ગઈકાલે અમદાવાદના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો અને સાંજના સમયે અમદાવાદના અનેક વિસ્તારોમાં કમોસમી માવઠું વરસ્યું હતું. બોડકદેવ, ઈસનપુર, શાહપુર,જશોદાનગર હાટકેશ્વર, બોપલ, ઘુમા, શીલજ, જીવરાજપાર્ક, ઘાટલોડિયા, ચાંદલોડિયા, વાડજ, અખબારનગર, RTO સર્કલ, ચાંદખેડા, વસ્ત્રાલ, ખાડિયા, મણિનગર,રાયપુરમાં વરસાદ પડતા માર્ગો પરથી પાણી ચાલતા થયા હતા.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) May 28, 2023
બાગેશ્વર સરકાર તરીકે ઓળખાતા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી છેલ્લા 3-4 દિવસથી ગુજરાતની મુલાકાતે આવ્યા છે.આ દરમિયાન તેઓ અમદાવાદ, સુરત સહિતના જુદા જુદા સ્થળોએ દરબાર યોજી રહ્યા છે. ત્યારે વરસાદ વેરી બનતા અમદાવાદના ઓગણજમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો પ્રોગ્રામ કેન્સલ કરવાની નોબત આવી હતી. ધમાકેદાર વરસાદને કારણે લોકો અધવચ્ચે કાર્યક્રમથી બહાર દોડી આવ્યા હતા. મહત્વનું છે કે ભારે ભવન સાથે વરસાદથી મંડપમાં પાણી ઘૂસી જતા અવ્યવસ્થાથી સર્જાઈ હતી. લોકોએ વરસાદથી બચવા ખુરશીઓ માથે ઓઢી હોય તેવા પણ દ્રશ્યો સર્જાયા હતા.ઓગણજમાં બાબાના પ્રોગ્રામને લઈને કલાકાર કિંજલ દવે, હિંદુ મહાસભાના સંતો સહિતના અનેક આગેવાનો આવ્યા હતા. આ દરમિયાન ઓગણજમાં ભારે ભવન સાથે વરસાદે તોફાની બેટિંગ શરૂ કરતા હિંદુ અગ્રણીઓ પણ કાર્યક્રમ અધવચ્ચે મૂકીને રવાના થઈ ગયા હતા. મહત્વનું છે કે આજનો કાર્યક્રમ કેન્સલ કરવામાં આવ્યો છે. જોકે આવતીકાલે પણ દરબાર અંગે આયોજન કરાયું હતું. જોકે આવતીકાલ (તા.29 મેં) ના આયોજન અંગે આયોજકો દ્વારા સત્તાવાર રીતે કોઈ ફોડ પાડવામાં આવ્યો નથી! જો વરસાદી વિધ્ન ન આવે તો 29 મેનો કાર્યક્રમ રાબેતા મુજબ યોજાઇ શકે છે.
ઓગણજમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો આજનો પ્રોગ્રામ કેન્સલ, મંડપ પાણી પાણી, વરસાદને કારણે લોકો અધવચ્ચે કાર્યક્રમથી બહાર નિકળ્યા, કલાકાર કિંજલ દવે, હિંદુ મહાસભાના સંતો પણ રવાના#ognaj#Rain#vtvgujaratipic.twitter.com/4qf4un3f5G
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) May 28, 2023
છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં હાર્ટ અટેકના કિસ્સામાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. રાજકોટમાં હોર્ટ એટેકથી વધુ 2ના મોત થયા છે. CAનું અભ્યાસ કરતા 25 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત થયું છે તો બીજુ 47 વર્ષીય રમેશભાઈ મેણંદભાઈ હુંબલનું હાર્ટ એટેકથી મોત થયું છે. રાજકોટમાં હાર્ટ એટેકને કારણે વધુ બેના મોત થયા છે. CAનું અભ્યાસ કરતા 25 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત થયાની ઘટના સામે આવી છે, અભ્યાસ કરતા કરતા યુવકને હાર્ટ એટેક આવ્યો હતો. તમને જણાવી દઈએ કે, મૃતક યુવક ધેવત પંડ્યા CAના ફાઇનલ વર્ષમાં અભ્યાસ કરી રહ્યો હતો રાજકોટમાં એક જ દિવસમાં બીજી હાર્ટ એટેકની ઘટના સામે આવી છે, 47 વર્ષીય રમેશભાઈ મેણંદભાઈ હુંબલનું હાર્ટ એટેકથી મોત થયું છે. ચારધામની યાત્રા પૂર્ણ કરી પરત ફરતા સમયે હાર્ટ એટેક આવ્યો હતો. પરિવારજનો સાથે ચારધામની યાત્રા કરવા મૃતક ગયા હતા.
ધારા અને સૂરજ ભુવાજી વચ્ચેના સંબંધ મામલે તપાસમાં મોટો ખુલાસા થયો છે. સૂરજ ભુવાજીએ મિત્રો સાથે મળીને ધારાની હત્યા કર્યા બાદ મિસિંગનું તરકટ રચ્યું હતું. સમગ્ર મામલે પૂછપરછ બાદ 8 આરોપીઓને સાથે રાખીને ઘટનાનું રી-કન્સ્ટ્રક્શન કરાશે. યુવતીની હત્યાના ઘટના સ્થળેથી હત્યા અને પુરાવા નિકાલનું રી-કન્સ્ટ્રકશન કરાશે. સૂરજે પત્ની અને બાળકો પાસે પરત જવા માટે હત્યાનું ષડ્યંત્ર રચ્યું હતું. ધારાની ચોટીલામાં હત્યા કરીને મિસિંગનું તરકટ રચી પત્ની સાથે રહેવા જતો રહ્યો હતો.ઝોન-7 DCP બીયુ જાડેજા અને તેમની ટીમે ગુમ થયેલી ધારાની હત્યાનો ભેદ ઉકેલ્યો છે. ધારાને સૂરજ અને મીત જૂનાગઢથી અમદાવાદ લાવી રહ્યા હતા અને ચોટીલાના વટવાલ પાસે કાર ઉભી રાખી ઝઘડા કર્યો હતો બાદ સૂરજે ધારાનું ગળું દબાવી હત્યા કરી નાંખી હતી. હત્યા કરી પેટ્રોલ અને લાકડાથી લાશ સળગાવી હતી. મૃતક ધારાના કપડા પહેરી એક વ્યકિત અમદાવાદ આવી હતી. ભુવા જોડે ધારા અમદાવાદ આવી તેવું સાબિત કર્યું હતું. ભુવાના મિત્ર મીતે તેની માતાને પણ પ્લાનમાં સામેલ કરી હતી.
તુર્કીના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં રેસેપ તૈયપ એર્દોગન સતત 11 વખત જીત હાંસલ કરી છે. લાંબા સમયથી સત્તા પર રહેલા રેસેપ તૈયપ એર્દોગન અને વિપક્ષી નેતા કેમલ કેલિકદરોગ્લુ સાથે જોરદાર જંગ ખેલાયો હતો. જેમાં રેસેપ તૈયપએ બાજી મારી રેકોર્ડ સર્જી દીધો છે. મહત્વનું છે કે પ્રથમ તબક્કાના મતદાન 14 મેના રોજ કોઈ ઉમેદવારને 50 ટકાથી વધુ મત મળ્યા ન હતાં. જેના કારણે રન-ઓફ રાઉન્ડની નોબત આવી હતી. બાદમાં હવે એર્દોગનની જબરી જીત થઈ છે. એર્દોગનને કુલ 97 ટકા વોટમાંથી 52.1 ટકા અને કેમલને 47.9 ટકા મત મળ્યા હતા.તુર્કીમાં યોજાયેલી રાષ્ટ્રપતિની ચૂંટણીના બીજા તબક્કાના મતમાં પણ કેલિકડારોગ્લુએ રેસેપ તૈયપ એર્દોગનને જોરદાર પડકાર ફેંક્યો અને ભારે રાસકરી બાદ તેઓએ જીત હાંસલ કરી હતી. ઉલ્લેખ છે કે ફેબ્રુઆરીમાં આવેલા ભૂકંપ પછી જીતવું મુશ્કેલ હોવા છતાં આખરે આ સિદ્ધિ મેળવી હતી. એર્દોગનની જીત પર કતારના તમિમ બિન હમાદે ટ્વીટરના માધ્યમથી અભીનંદન પાઠવ્યા હતા.
તમિલનાડુના અધ્યાનમ્ સંતોએ સંપૂર્ણ વિધિ-વિધાન સાથે અનુષ્ઠાન કર્યું હતું. વડાપ્રધાન મોદી અને લોકસભા સ્પીકર ઓમ બિરલા પૂજામાં બેઠા હતા. ધાર્મિક વિધિઓ પછી, ગૌણ સંતોએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સેંગોલ સોંપ્યું, જે નવા સંસદભવનમાં સ્થાપિત કરવામાં આવ્યું છે. આજથી 25 વર્ષ બાદ ભારત તેની આઝાદીના 100 વર્ષ પૂર્ણ કરશેપીએમ મોદીએ કહ્યું, 'આ નવી ઇમારત આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓના સપનાને સાકાર કરવાનું માધ્યમ બનશે. આ નવી ઇમારત આત્મનિર્ભર ભારતના સૂર્યોદયની સાક્ષી બનશે. આ નવી ઇમારત વિકસિત ભારતના સંકલ્પોની પરિપૂર્ણતા જોશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય ટપાલ વિભાગની સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડી. આ પછી તેણે ભારતીય નાણા વિભાગ દ્વારા તૈયાર કરાયેલ 75 રૂપિયાનો સિક્કો બહાર પાડ્યો.પીએમએ પોતાના સંબોધનમાં કહ્યું કે નવા રસ્તે ચાલવાથી જ નવા કીર્તિમાન બને છે. નવું ભારત નવા લક્ષ્યો નક્કી કરી રહ્યું છે. નવો ઉત્સાહ છે, નવો ઉત્સાહ છે, નવી યાત્રા છે. નવી વિચારસરણી, નવી દિશા, નવી દ્રષ્ટિ છે