નવસારીમાં વાંઝણા ગામમાં મંદિરના લાભાર્થે ડાયરાનું આયોજન કરવામાં આવ્યું. કિર્તીદાન ગઢવીના ભજનો પર ડાયરો માણનાર મોજમાં આવી ગયા હતા.
આ ડાયરામાં લોકોએ લાખો રૂપિયાની નોટો ભજન માણનારાઓએ ઉડાવી હતી. આ કાર્યક્રમ દરમિયાન લોકોએ 20 લાખ રૂપિયાની નવી ચલણી નોટો ઉડાવી હતી.
ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમમાં ધારાસભ્ય નરેશ પટેલ પણ હાજર રહ્યા હતા. ધારાસભ્ય નરેશ પટેલે પણ નોટોનો વરસાદ કર્યો હતો. કિર્તીદાન ગઢવી પર નોટોનો વરસાદ થતો હતો.
આ રૂપિયા મંદિરના લાભાર્થે હોવાથી સાંભળનાર પણ મન મૂકીને નોટોનો વરસાદ કર્યો હતો. નોટોના વરસાદમાં જમીન પર નોટો જ નોટો જોવા મળી હતી. આ નોટોને એકઠી કરવા માટે મશીનો મુકવામાં આવી હતી.
આપને જણાવી દઇએ કે કિર્તીદાન ગઢવીના ચાહકો ઠેર-ઠેર રહેલા છે આ પહેલા પણ એક સ્થળે ડાયરામાં નોટોનો વરસાદ થયો હતો તો ગતરોજ અન્ય એક સ્થળે રાજભા ગઢવીના ડાયરામાં પણ ચાહકોએ દિલ ખોલીને ચલણી નોટોનો ઘોળ કર્યો હતો. ત્યારે પણ એક VIDEO માધ્યમોમાં વાયરલ થવા પામ્યો હતો.