રાજ્યમાં લાંબા વિરામ બાદ ફરીથી મેઘરાજાનું આગમન થયું છે. કાલે મોડી રાતથી રાજ્યના 89 તાલુકામાં વરસાદ વરસ્યો છે. તો હવામાન વિભાગે બે દિવસ ભારે વરસાદની આગાહી કરી છે.
મોડી રાતથી અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, વડોદરા, આણંદ, છોટાઉદેપુર, સુરત, ડાંગ, સુરત, નવસારી અને ભરૂચ સહિત સોરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. જેમાં અમરેલીના લીલીયામાં સૌથી વધુ 3 ઈંચ વરસાદ પડ્યો છે તો લાઠીમાં 2.5 ઈંચ અને વીસાવદરમાં 2.5 ઈંચ વરસાદ વરસ્યો છે.
જ્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી 26 જુલાઇએ ચોમાસુ ફરી સક્રિય થશે તેવી આગાહી કરી છે. અંબાલાલ પટેલે કહ્યું કે, 26 જુલાઇથી 1 ઓગસ્ટ સુધી રાજ્યમાં વરસાદ પડશે અને રાજ્યના ડેમ અને સરોવરો છલકાઇ જશે. ઉભા કૃષિ પાક માટે પુષ્ય નક્ષત્ર લાભ આપશે.
આ ઉપરાંત 22 અને 23 તારીખે પણ રાજ્યમં ઝાપટા પડશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં સારો વરસાદ થવાની આગાહી કરી છે. અંબાલાલ પટેલે અમદાવાદમાં 3 ઇચ, સાબરકાંઠામાં 4 ઇંચ, રાજકોટમાં 4 ઇંચ, જામનગરમાં 4 ઇંચ જેટલો વરસાદ પડશે તેવી આગાહી કરી છે.