રાજકોટના લોધિકા અને તેની આસપાસના ગામડામાં છેલ્લા 3 દિવસથી સતત ધોધમાર વરસાદ ખાબક્યો છે. જેને પગલે ખેડુતોમાં ચિંતામાં વધારો થયો છે. વધારે વરસાદને કારણે પાકને નુકશાન થઇ રહ્યું છે. હવામાન ખાતાએ હજુ આગામી દિવસોમાં વરસાદ આવવાની શક્યતા દર્શાવી છે. જેને પગલે ખેડુતો ચિંતામાં વધારો થયો છે.
ભારે વરસાદને કારણે રાજ્યના ખેડુતોની ચિંતામાં વધારો
વરસાદને કારણે પાકને નુકસાન થશે
મંદીમાં પાકને થતુ નુકસાન રાજ્યમાં મોંઘવારીમાં વધારો કરી શકે છે.
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે વાગદુડ ગામની નદીઓ બે કાંઠે વહી રહી છે. જ્યારે ખેતરો તથા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. વરસાદને લીધે રસ્તો બંધ થઇ જતા લોકોને ભરે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
આગામી દિવસોમાં દ. ગુજરાત અને ઉ. ગુજરાત સહિત સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓ તેમજ કચ્છમાં પણ વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. અરબી સમુદ્રનું તોફાન વરસાદ માટે જવાબદાર છે.