હવામાન વિભાગની આગાહીને પગલે આજે રાજકોટ, ભાવનગર, કચ્છ, અમદાવાદ સહિતના અનેક વિસ્તારોમાં મેઘકહેર વરસ્યો હતો. જેને લઇને ભર ઉનાળે ચોમાસા જેવી સ્થિતિ સર્જાઇ હતી.
વરસાદથી બનાસકાંઠા ખેડૂતો, દુકાનદાર અને મકાન માલિકોને મોટું નુકસાન
ભુજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ધમાકેદાર વરસાદ
ભાવનગરના વિવિઘ વિસ્તારોમાં વરસાદી માહોલ
બનાસકાંઠા જિલ્લામાં ગત મોડી રાત્રે ભારે વાવાઝોડા સાથે અનેક તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો જેના કારણે ખેડૂતો દુકાનદાર અને મકાન માલિકોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. ગત રાત્રે 28 તા. મોડી સાંજે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં અનેક તાલુકાઓમાં ભારે વાવાઝોડા સાથે પવન ફૂંકાયો હતો સતત બે કલાક સુધી ભારે પવન ફૂંકાતા તેની સીધી અસર ખેડૂતો અને લોકોના જનજીવન પર પડી હતી. ખાસ કરીને મોડી રાત્રે ભારે પવન ફૂંકાતા અનેક તાલુકાઓમાં લોકોના ઘરોના પતરા અને દુકાનોના પતરા ઉડી જતા મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
ગાંધીધામ-આદિપુર, અંજાર સહિતના વિસ્તારોમાં વરસાદ
હવામાન વિભાગની આગાહીને લઈને કચ્છમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો.ગાંધીધામ-આદિપુર, અંજાર સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. ભુજ તાલુકાના ગ્રામ્ય વિસ્તાર ધાણેટી ગામે ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. હજુ પણ આગામી ત્રણ દિવસ સુધી વરસાદી માહોલ રહે તેવી શકયતા સેવાઇ રહી છે. વધુમાં કંડરાઇ ગામે ભારે પવન સાથે વરસાદ શરુ થયો હતો. વધુમાં વરસાદની સાથે સાથે કરા પણ પડ્યા હતા. તથા ગાંધીધામમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. ઉપરાંત કંડલા પોર્ટ પર ભારે પવન સાથે વરસાદ પવનથી ભારે ભરખમ કન્ટેનર ક્રેન પણ સલામત સ્થળે ખસેડાઈ હતી.
રાજકોટના ગોંડલ પંથકમાં વાવાઝોડા સાથે વરસાદ
રાજકોટના ગોંડલ પંથકમાં વાવાઝોડા સાથે વરસાદ થયો હતો. કોલીથડ, પાટીયાળી, ભોજપરા સહિતના ગામડાઓમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. તો નાગડકા ગામમાં કરા સાથે તોફાની વરસાદ આવતા અનેક ગામોનો વીજપુરવઠો ખોરવાયો હતો. તે જ રીતે રાજકોટના લોધિકામાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને રાજકોટમાં પણ છૂટા છવાયા વરસાદી ઝાપટા વરસ્યા હતા. તો રાજકોટના યાત્રાધામ વિરપુર અને આસપાસના વિસ્તારમાં પણ કમોસમી વરસાદ પડ્યો હતો.આ ઉપરાંત ભાવનગરના વિવિઘ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. પાલીતાણામાં વરસાદ સાથે કરા પડતા ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો.
જૂનના પ્રથમ સપ્તાહમાં પણ આવશે વરસાદ
બીજી બાજુ અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, 30 મેના રોજ રાજ્યના ઘણા ભાગોમાં વરસાદની સંભાવના છે. રોહિણી નક્ષત્રની અસરને કારણે હજી પણ જૂનના પ્રથમ સપ્તાહમાં વરસાદ આવશે. 4 જૂન સુધી વરસાદ ઘણા ભાગોમાં થશે. 3, 4, 5 જૂન અરબી સમુદ્રમાં હવાનું હળવું દબાણ થશે. હવાનું હળવું દવાબ ચક્રાવાતમાં ફેરવાઈ શકે છે. ચક્રાવાત સૌરાષ્ટ્ર તરફ આગળ વધશે તો દરિયા કિનારે ભારે વરસાદની શક્યાતા છે.
તેઓએ જણાવ્યું કે, ગુજરાતમાં ચોમાસા પહેલા વાવાઝોડું ત્રાટકશે. 4થી 7 જૂનની વચ્ચે ગુજરાતમાં વાવાઝોડુ આવવાની શક્યતા છે. રોહિણી નક્ષત્રને કારણે વાતાવરણે કરવટ બદલી છે, જેને કારણે આંધી અને દરિયામાં તોફાન આવશે. રાજ્યમાં ચોમાસાને લઈને આગાહી કરતા જણાવ્યું કે, અંદમાન નિકોબરથી આજે ચોમાસું આગળ વધી શકે છે. તેમજ અંદામાનમાં સ્થિર થયેલું ચોમાસું પહેલી જૂને કેરળમાં પ્રવેશ કરી શકે છે.