રાજ્યમાં ૧૦.૧૫ લાખ હેકટરમાં મગફળી, ૧૫.૫૬ લાખ હેક્ટરમાં કપાસ તેમજ ૪.૫૦ લાખ હેક્ટરમાં ધાન્ય-કઠોળ પાકોનું વાવેતર
કૃષિમંત્રી રાઘવજી પટેલનું નિવેદન
પ્રિમોન્સૂન વાવેતર પૂરતા પ્રમાણમાં થયું છે
અંદાજે 104 ટકા જેટલો વરસાદ પડવાની સંભાવના
કૃષિ મંત્રી રાઘવજી પટેલે ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદ સંબોધતા કહ્યું હતું કે રાજ્યમાં નોર્મલ વાવેતર વિસ્તારમાં છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ ૮૬.૩૧ લાખ હેક્ટરની સામે ચાલુ વર્ષે ખેડૂતો દ્વારા અત્યાર સુધીમાં કુલ ૩૦.૨૧ લાખ હેક્ટર એટેલે કે અંદાજે ૩૫% વિસ્તારમાં ખરીફ પાકનું વાવેતર થયું છે. હાલમાં રાજ્યના મોટાભાગના તાલુકામાં સાર્વત્રિક વરસાદ થયો છે, જેના પગલે વાવેતરમાં નોંધપાત્ર વધારો થયો છે.
કેટલું વાવેતર થયું?
વધુમાં રાઘવજીએ કહ્યું હતું કે રાજ્યમાં કુલ ૩૦.૨૧ લાખ હેક્ટરમાં વાવેતર પૈકી મુખ્ય પાક જેવા કે મગફળીનું વાવેતર ૧૦.૧૫ લાખ હેક્ટર એટલે ૩૩.૬૦%, ક્પાસનું વાવેતર ૧૫.૫૬ લાખ હેક્ટર એટલે ૫૧.૫૦% તેમજ અન્ય ધાન્ય-કઠોળ પાકોનુ વાવેતર ૪.૫૦ લાખ હેક્ટર એટલે ૧૪.૯૦ % નોંધાયું છે.
૧૦ જૂલાઇ સુધીમાં મોટાભાગનું વાવેતર થઈ જાય છે
ગુજરાતમાં સામાન્ય રીતે પ્રતિ વર્ષ તા.૨૦ જૂન થી ૧૦ જૂલાઇ સુધીમાં મહત્તમ વાવેતર થતું હોય છે. હવામાન એજન્સીઓની આગાહી મુજબ આ વર્ષે ૧૦૪ ટકા વરસાદ થવાની સંભાવના હોવાથી ખેડૂતો માટે આ વર્ષ સારુ રહેશે તેવો અંદેશો છે.
મુખ્યમંત્રી અધક્ષતામાં મળેલી બેઠક પૂર્ણ
રાજ્યમાં 1 જળાશય હાઈ એલર્ટ પર
રાજ્યમાં 1 જળાશય વોર્નિંગ પર છે
રાજ્યના 206 જળાશયમાં 1.98 લાખ MCFT પાણીનો સંગ્રહ
રાજ્યમાં 7 જુલાઈથી 10 જુલાઈ ભારે વરસાદની આગાહી
મુખ્યમંત્રીએ બચાવ કામગીરી બાબતે સમીક્ષા કરી
રાજ્યમાં NDRF ની 9 ટીમ તૈનાત કરવામાં આવી
ગીર સોમનાથ 1 ટીમ, નવસારી 1 ટીમ તૈનાત
બનાસકાંઠામાં 1 ટીમ, રાજકોટમાં 2 ટીમ તૈનાત
વલસાડ, ભાવનગર અને કચ્છમાં 1-1 ટીમ તૈનાત કરાઇ
હાલની સ્થિતિએ રાજયમાં પાકવાર વાવેતર વિસ્તારની વિગતો આ મુજ્બ છે.
ખરીફ-૨૦૨૨ ઋતુમાં તા: ૦૪-૦૭-૨૦૨૨ અંતિતરાજ્યનો નોર્મલ વિસ્તારની સરખામણીમાં થયેલ વાવેતર વિસ્તાર (હેક્ટર)
અ.ન.
પાકનું નામ
નોર્મલ વાવેતર છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ
ચાલુવર્ષે અત્યાર સુધીમાં થયેલ વાવેતર વિસ્તાર
નોર્મલવાવેતર વિસ્તારની સામે ચાલુ વર્ષે થયેલ વાવેતરના ટકા