ગુજરાતના 7 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર, સિઝનનો અત્યાર સુધી 41% વરસાદ પડી ગયો, આજે 508 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યુ
ગુજરાતમાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી
7 જિલ્લાને રેડ એલર્ટમાં મુકાયા
10674 લોકોનું સ્થળાંતર
રાજ્યમાં વરસાદને લઈને આજે હવામાન વિભાગે નવી આગાહી કરી છે. જે મુજબ આગાહીમાં 3 દિવસનો વધારો કરવામાં આવ્યો છે. આગામી 5 દિવસ વરસાદની સ્થિતિ સાર્વત્રિક રીતે યથાવત રહેશે.દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 15 જુલાઈ બાદ વરસાદમાં આંશિક રાહત મળશે તેવા વરતારા પણ થયા છે.આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી દેવામાં આવી છે. આપને એ પણ જણાવી દઈએ કે ગુજરાતમાં 11 જુલાઇ સુધી સિઝનનો સરેરાશ 41% વરસાદ નોંધાયો છે.
7 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર
તો બીજી તરફ રાજ્ય સરકાર પણ ભારે વરસાદને લઈ એક્શન મોડમાં આવી ગઈ છે. સુરત, ડાંગ, છોટા ઉદેપુર, તાપી, વલસાડ, નર્મદા, ભરૂચ, માં તંત્ર દ્વારા રેડ અલર્ટ જાહેર કરવામા આવ્યું હોય તેવી માહિતી રાજ્ય સરકારના પ્રવક્તા અને મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ આપી છે.
10674 લોકોનું રેસ્ક્યૂ કરાયું
વધુમાં રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું હતું કે તંત્ર રાહત બચાવની કામગીરી ખુબ ઝડપથી કરી રહ્યું છે. અત્યાર સુધી 10674 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યુ છે બચાવાયેલા લોકો માંથી 6853 લોકો હેમખેમ પોતાને ઘરે પરત ફર્યા છે. બપોર બાદ વરસાદમાં ઘટાડો થયો છે
જિલ્લો
સ્થળાંતર
છોટા ઉદેપુર
5278
નવસારી
2902
પોરબંદર
801
આણંદ
630
વલસાડ
469
તાપી
235
દેવભૂમિ દ્વારકા
120
કચ્છ
130
નર્મદા
85
વડોદરા
24
રાજ્યમાં વરસાદથી 63 લોકોના મોત
રાજ્યમાં મેઘ મહેર ઘણી જગ્યાએ કહેર બનીને વરસી છે. અત્યાર સુધી રાજ્યમાં વરસાદથી 63 લોકોના મૃત્યુ થયા છે. છેલ્લા 24 કલાકમાં 7 લોકો વરસાદી તારાજીને લીધે મરણ પામ્યા છે. જો નુકસાનની વાત કરીએ તો રાજ્ય સરકારના આંકડા મુજબ વરસાદથી 18 મકાનોને સંપૂર્ણ નુકશાન પહોચ્યુ છે. 24 કલાકમાં 11 ઝૂપડા પણ બરબાદ થઈ ગયા છે. અત્યાર સુધી કુલ 272 પશુઓના વરસાદથી મૃત્યુ થયા છે. તેમજ વીજળી પડવાથી કુલ 33 લોકો, દીવાલ પડવાથી 8 લોકો, પાણીમાં ડૂબવાથી 16, ઝાડ પડવાથી 5 લોકોના મૃત્યુ તેમજ વીજપોલ પડી જતા એક નાગરિકે જીવ ગુમાવ્યો છે. છેલ્લા 24 કલાકમાં 508 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યુ છે. જેમાંથી 468 નાગરિકો ઘરે પરત ફર્યા છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 179 તાલુકામાં નોંધપાત્ર વરસાદ